________________
અનેકાંતવિજ્ઞાન
અનેકાંત કે સ્યાદ્વાદની ચર્ચા કર્યા વિના જૈન ધર્મ ઉપરનું ચિંતન અધૂરું ગણાય. જૈન ધર્મ અનેક રીતે વિશિષ્ટ છે પણ તેના વિશેષ યોગદાનની વાત કરવી હોય તો તેમાં અહિંસા અને સ્યાદ્વાદ આવે. આચાર-વ્યવહારની ભૂમિકા ઉપર અહિંસાનું જેવું મહત્ત્વ છે તેવું જ વૈચારિક ભૂમિકા ઉ૫૨ અનેકાંત કે સ્યાદ્વાદનું મહત્ત્વ છે. આમ જોઈએ તો સ્યાદ્વાદ સહજ અને સરળ છે પણ વ્યવહારમાં લોકો તેની સદંતર ઉપેક્ષા કરતા રહે છે અને તેથી તેમનું જીવન ક્લેશમય કે કલહમય બની જાય છે. આપણે અહીં સ્યાદ્વાદની ચર્ચા કરી છે તેનો એ જ હેતુ છે કે લોકો વૈચારિક ભૂમિકા ઉપરથી સ્યાદ્વાદને નીચે ઉતારીને વ્યવહારની ભૂમિકા ઉપર લાવીને મૂકે જેથી સૌનાં જીવન સ્વસ્થ અને પ્રસન્ન બની રહે.
૧૩
સમસ્ત સૃષ્ટિની સંરચના પરસ્પર વિરોધના પાયા ઉપર ઊભી છે માટે વિરોધને નિર્મૂળ કરવાની વાત છોડીને વિરોધને સ્વીકારતાં શીખી જાવ તે અનેકાંતની શીખ છે. જો વિરોધને ટાવી લઈશું તો સમસ્ત અસ્તિત્વ ડગમગી ઊઠશે. પૃથ્વી અવકાશમાં ટકી રહી છે કારણ કે એક બાજુ તેને સૂર્ય ખેંચી રહ્યો છે તો બીજી બાજુ પૃથ્વી સૂર્યથી દૂર જવા તાણ કરી રહી છે. આ પરસ્પર વિરોધી પરિબળોને કારણે, ખેંચતાણને કા૨ણે પૃથ્વીનું સંતુલન થઈ ગયું છે અને તેનું અસ્તિત્વ ટકી રહ્યું છે. સૂર્ય ઊગે છે તો આથમે પણ છે. દિવસ થાય છે તો રાત પણ થાય છે. જન્મ છે તો મૃત્યુ પણ છે. પૃથ્વીના
૧૪૮
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org