________________
ત્રણસ્વીકાર -પુરોગામી ધર્મપુરુષ અને તત્ત્વમીમાંસકોના આધાર વિના આવું ધર્મવિષયક પુસ્તક લખવાનું મુશ્કેલ છે. તેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ તત્ત્વજ્ઞાનની ઉપલબ્ધિમાં મને સહાયભૂત નીવડેલ તે સૌ પ્રાજ્ઞપુરુષોના ઋણનો હું સ્વીકાર કરું છું.
– પ.પૂ. આચાર્ય શ્રી પ્રદ્યુમ્નવિજયસૂરિનો તો મારા ઉપર વિશેષ ઉપકાર છે. જૈન ધર્મવિષયક પુસ્તકો લખવા માટે મને પ્રેરનાર જ તેઓ છે. તેથી તેઓ જ આ પુસ્તકની પ્રસ્તાવના લખે તેવી મને સહજ અપેક્ષા હતી. તેમણે તે માટેની મારી વિનંતીનો સ્વીકાર કરી મને ઉપકૃત કર્યો.
-પૂજ્ય પંન્યાસ શ્રી યુગભૂષણવિજયજી મ.સા. તેમજ પૂ. શ્રી મોહજિતવિજયજીનાં વ્યાખ્યાનોમાંથી પણ મેં ઘણું મેળવ્યું છે. આ બન્ને મહારાજ સાહેબોને હું વંદન કરું છું.
– મારા દરેક પુસ્તક માટે શ્રી સુમિત્રાની તો મને ડગલે અને પગલે સહાય મળતી રહે છે. જૈન ધર્મ પ્રત્યેની મારી રુચિ કેળવવામાં તેમનો ઘણો ફાળો છે. આમ તેમનો સહયોગ અમૂલ્ય બની રહ્યો છે.
– પુસ્તકપ્રકાશન માટે તેમજ વિતરણ માટે અવારનવાર યથાયોગ્ય સલાહ અને સહકાર આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના સંચાલક શ્રી મનુભાઈનો હું ઋણી રહું છું.
– પુસ્તકપ્રકાશનના સહયોગી શ્રી વિઠ્ઠલભાઈનો લેસર કમ્પોઝ માટે, શ્રી ગિરીશભાઈ જેસલપુરાનો પ્રૂફરીડિંગ માટે, શ્રી રાકેશભાઈ દેસાઈનો પ્રિન્ટિંગ માટે તેમજ શ્રી ધીરજલાલ ઉમરાણિયાનો ચિત્ર માટે આભાર માનવો જ રહ્યો.
– ચંદ્રહાસ ત્રિવેદી
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org