________________
વધારે પ્રબળ છે. બીજાં બધાં કર્મો તો તેની છાયામાં જ પાંગર્યા હોય છે. એક વાર મોહનીય કર્મનું વૃક્ષ પડ્યું પછી બીજા કર્મો તો આપોઆપ સૂકાઈ જવાનાં કે તેના ભારથી જ કચડાઈ જવાનાં. મોહનીય કર્મનો જેમ જેમ પરાજય થતો જાય છે તેમ તેમ અન્ય કર્મો જીર્ણશીર્ણ થઈને ખસતાં જાય છે.
બીજી એ વાત પણ ધ્યાન બહાર ન જાય કે આત્માના વિકાસક્રમમાં ચાર ગુણસ્થાનક દર્શનની શુદ્ધિ માટેનાં છે. આ ઉત્થાન દરમ્યાન દર્શનમોહનીય કર્મ પાછું હઠતું જાય છે અને જીવની દર્શનશુદ્ધિ થાય છે. એટલે કે જે વસ્તુ જે સ્વરૂપે છે તે તેને દેખાય છે - સમજાય છે. તેથી શું છોડવા જેવું છે, શું મેળવવા જેવું છે તે બાબતે તે સ્પષ્ટ થઈ જાય છે. પાંચમા ગુણસ્થાનકથી જીવ ચાલવા માંડે છે, સંયમમાર્ગ ઉપર પ્રયાણ કરે છે. જે ઈષ્ટ લાગ્યું તે મેળવવા તે આગળ વધે છે અને છોડવા જેવું બધું મૂકતો જાય છે. આમ પાંચમાથી સાતમા સુધીનાં ગુણસ્થાનકો આચારશુદ્ધિનાં સ્થાનો છે. આમ સાતમા ગુણસ્થાનક સુધી પહોંચતાં જીવન દર્શનશુદ્ધિ અને આચારશુદ્ધિ સારા પ્રમાણમાં થઈ ગઈ હોય છે. આ સાત ગુણસ્થાનકો સુધીનો માર્ગ કાપતાં જીવને વષોનાં વર્ષો તો શું ભવોના ભવ નીકળી જાય છે.
મઝાની વાત એ છે કે બાકીનાં ચાર એટલે આઠ, નવ, દસ અને અગિયાર અથવા આઠ, નવ, દસ અને બાર સ્થાનકો જીવ અંતર્મુહૂર્તમાં એટલે બે ઘડીમાં જ પાર કરી લે છે. અહીં આચારના વેગ કરતાં ભાવના વેગનું મહત્ત્વ વિશેષ રહે છે. ચઢાણ સીધાં છે, કપરાં છે પણ ભાવની ઉત્કૃષ્ટતા એટલી આત્માનું ઊર્ધ્વરોહણ
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org