________________
હોય છે કે આ ચારેય સ્થાનો આત્મા ટપોટપ ચડી જાય છે અને જીવ કાં તો અગિયારમે અથવા બારમે આવીને ઊભો રહે છે. અગિયારમા ગુણસ્થાનકને ઉપશમનું ગુણસ્થાનક કહે છે. એટલે ત્યાં અશુદ્ધિ છે પણ તે નીચે બેઠી છે. કર્મોનું અસ્તિત્વ છે પણ તે દબાઈ ગયેલાં છે. ભોંય સાથે ભળી ગયેલાં દેડકાં જેમ પ્રથમ વરસાદ થતાં બેઠાં થઈ જાય છે તેમ નીચે બેસી ગયેલ કષાયો, તળિયે પડેલી અશુદ્ધિઓ છેવટે ઉપર આવી જવાનાં અને જીવ ત્યાંથી નીચે ગબડી પડવાનો. કેટલો નીચે પડે અને ક્યાં અટકે તે કહેવાય નહિ. જ્યારે બારમા ગુણસ્થાનકે પહોંચેલો જીવ પાછો પડતો નથી. કપરાં ચઢાણ તે ચડી ચૂક્યો હોય છે. તેના કષાયો નિર્મૂળ થઈ ગયા હોય છે. જીવ પરિપૂર્ણ રીતે શુદ્ધ થઈ ગયો હોય છે. જીવને નીચે ધકેલી દે, આત્માનો ઘાત કરે તેવાં બધાં કર્મો અહીં નષ્ટ થઈ ગયાં હોય છે. તે સમયે જીવ સાથે જે કર્મો રહેલાં હોય છે તે તો કેવળ હથિયાર મુકાવી દીધેલ સૈનિકો જેવાં હોય છે, જે જીવનો ઘાત કરવા સમર્થ નથી હોતાં. આ સ્થાનને ‘ક્ષીણમોહ’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ક્ષીણનો અર્થ ‘નષ્ટ' લેવાનો છે; ‘નિર્બળ’ કરવાનો નથી.
પ્રથમથી ચાર ગુણસ્થાનકો દર્શનની શુદ્ધિ માટેનાં છે. ચોથા ગુણસ્થાનક ઉપર આત્માની આછી પણ ઝાંખી થઈ ગઈ હોય છે. સાત ગુણસ્થાનક સુધી આચારશુદ્ધિ સંયમની સાધના મહત્ત્વની બની રહે છે, જ્યાંરે આઠમાથી બારમા સુધીનો માર્ગ આત્માની અનુભૂતિનો માર્ગ છે. આઠમા ગુણસ્થાનકથી જીવને આત્માની અનુભૂતિ થવા લાગે છે. જીવને આત્માના સામર્થ્યની
જૈન ધર્મનું હાર્દ
૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org