________________
સાતમા ગુણસ્થાનકે તો સાધકે પ્રમાદ પણ ખંખેરી નાખ્યો હોય છે. તેને લાગે છે કે મંજિલ હજુ દૂર છે અને ચાલવામાંઆચરણમાં ઢીલા-પોચા ન રહેવાય. આગળના મોક્ષમાર્ગ ઉપર ચાલવા તે પૂર્ણ રીતે કટિબદ્ધ થયેલો હોય છે. વિસ્મૃતિ, ભ્રમ, આળસ, પ્રમાદ, ઈત્યાદિ તેને નીચે તાણી જવા મથતાં હોય છે. પણ સાધક સજગ રહી, જાગરૂક રહી આત્માના ગુણોના વિકાસ માટે સતત ઉદ્યમશીલ રહે છે. તેથી તેને અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કહે છે. વિરતિ એટલે સંયમ. સર્વવિરતિ એટલે સર્વ પ્રકારે સંયમ. અપ્રમત્ત એટલે સજાગ – જાગરૂક અને ઉદ્યમશીલ. આ ગુણસ્થાનકનો કાળ કેવળ અંતર્મુહૂર્તનો હોય છે. આત્માના ગુણોના વિકાસક્રમમાં આ ગુણસ્થાનક બહુ ક્રિટિકલ–નાજુક હોય છે. બે ઘડી જેટલો તેનો કાળ છે પણ જો તે ન સચવાયો તો આગળની બધી મહેનત એળે જાય અને સાધક નીચે ગબડી પડે તેમજ પ્રાપ્ત થયેલા ગુણોનો પણ બ્રાસ થઈ જાય.
સાતમા ગુણસ્થાનકે અર્ધો રસ્તો કપાઈ ગયો તેમ કહી શકાય. આગળનો માર્ગ ટૂંકો છે પણ તેનાં ચઢાણ કપરાં છે. આઠમે ગુણસ્થાનકે આવ્યા પછી જરા પાછા વળીને જોઈએ તો લાગશે કે આપણે આઠેય પ્રકારનાં કર્મોમાંથી કેવળ મોહનીય કર્મ સામે લડવા માંડ્યું છે. શરૂઆતની લડાઈ દર્શનમોહનીય કર્મ સામેની હતી પણ પાંચમાથી સંઘર્ષ ચારિત્રમોહનીય કર્મ સામે શરૂ થઈ ગયો હોય છે. મોહનીય કર્મના આ બન્ને ઘટકો છે. બન્નેને પરાસ્ત કર્યા વગર આગળ ન વધાય. આપણે મૂળ શત્રુ સામે યુદ્ધ આદર્યું છે કારણ કે મોહનીય કર્મ જ સૌથી ૧eo
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org