________________
ખરેખર થાય છે. અહીં સુધીનાં ગુણસ્થાનકો સુધી દર્શનમોહનીય કર્મ સાથેનો સંઘર્ષ હોય છે પણ આનાથી આગળનાં ગુણસ્થાનકો ઉપર ચારિત્રમોહનીય કર્મ સાથેનો સંઘર્ષ હોય છે.
વિકાસમાં પાંચમા સ્થાને આવે છે દેશવિરતિ. તેમાં સાધક સાચી અને સારી લાગેલી વસ્તુઓ અપનાવવા માંડે છે. આ ગુણસ્થાનકથી ચાલવાની વાત આવે છે. આચરણની વાત આવે છે. દૃષ્ટિ સ્પષ્ટ થઈ ગઈ, માર્ગ દેખાયો પણ પૂરેપૂરું ચલાય નહિ તેનું કારણ ચારિત્રમોહનીય કર્મ છે. જેમ જેમ ચારિત્રમોહનીય કર્મ તૂટતું જાય તેમ તેમ જીવ આચારમાં આગળ વધતો જાય છે. વિકાસમાર્ગ ઉપર સાધક ચાલવા માંડે છે પણ હજુય તેનું આચરણ તેના અંતર સાથે પૂર્ણ સુમેળમાં નથી હોતું. તેના હૈયે સત્યને અપનાવવાનો પૂર્ણભાવ હોય છે. છતાંય વ્યવહાર તેને અંશતઃ અનુરૂપ રહે છે તેથી તેને દેશવિરતિ એટલે કે થોડે ભાગે સંયમના ગુણસ્થાનક તરીકે ઓળખવામાં આવે છે.
છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાનકે તો જીવ શક્તિશળી બની ગયો હોય છે. મોહનાં ઘણાં વાદળાં વીખરાઈ ગયાં હોય છે. સત્યનો સૂરજ ઊંચે આવી ગયો હોય છે. તેના પ્રકાશમાં સાધક આગળ વધતો હોય છે. તે મોહનિદ્રામાંથી જાગી ગયો હોય છે અને કેવળ સંયમનો પ્રકાશ તેના જીવનમાં રેલાઈ રહ્યો હોય છે. હવે તે મૂર્છામાં કે તંદ્રામાં ડગલાં નથી ભરતો પણ જોઈ-વિચારીને એકેક ડગલું ભરતો હોય છે. છોડવા જેવું બધું છૂટતું હોય છે પણ પ્રમાદને લીધે ક્યાંક પુરુષાર્થમાં ઊણપ રહી જાય છે. તેથી તેને પ્રમત્ત ગુણસ્થાનક કહે છે. આત્માનું ઊર્ધ્વરોહણ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૯
www.jainelibrary.org