SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ દોષ છતાંય તેને પ્રથમ ગુણસ્થાનક કેમ ગયું? આત્માના વિકાસક્રમને આલેખવા માટે ક્યાંકથી શરૂઆત તો કરવી જ પડે. તેથી મિથ્યાત્વની એક અંતિમ સીમા ધારી લઈને તેને મિથ્યાત્વ ગુણસ્થાનક ગણાવ્યું. જીવ પોતાના ગુણોના વિકાસની યાત્રા અહીંથી શરૂ કરે છે માટે તેને પ્રથમ ગુણસ્થાનક કહ્યું. બાકી તે છે તો દોષોનું સ્થાન, પણ ઉપચારથી તેને ગુણસ્થાનક કહ્યું છે. આત્માના વિકાસને પંથે પળેલા હોય તેવા જૂજ જીવો સિવાયના સંસારના સકળ જીવો આ પ્રથમ ગુણસ્થાનક (મિથ્યાત્વ) ઉપર જ ઊભેલા છે છતાંય અહીં એક મહત્ત્વનો પણ નાજુક ભેદ છે જે સમજી લેવા જેવો છે. જે જીવો દોષોથી ભરેલી મિથ્યાત્વની ગાઢ રાત્રિમાં હજુ પ્રવર્તે છે જે હજુ મોહની ગાઢ મૂછમાં પડેલા છે અને ગુણ પ્રતિ જેમનામાં કંઈ સળવળાટ પણ થયો નથી તેમને માટે આ ગુણસ્થાનકને અતાત્ત્વિક ગુણસ્થાનક કહે છે એટલે કે વિકાસક્રમમાં જેનું કંઈ મહત્ત્વ નથી. જ્યારે એ જ ગુણસ્થાનક ઉપર એવા કેટલાય જીવો હોય છે કે જેઓ હજુ મોહની મૂછમાં છે પણ તેમની આસપાસનાં મિથ્યાત્વનાં ગાઢ વાદળો ખસવાની તૈયારીમાં છે અને આત્માના ગુણોના પ્રકાશની પ્રથમ રેખા તેમના જીવનમાં ફૂટવાની ઘડી નજીક આવી ગઈ છે. તેમને માટે આ જ ગુણસ્થાનક તાત્ત્વિક ગુણસ્થાનક સમું છે તેથી તેને ગુણી ગુણસ્થાનકે કહે છે. આમ, આત્માના વિકાસક્રમમાં મિથ્યાત્વ તરીકે ઓળખાતું પ્રથમ ગુણસ્થાનક આવે છે. જે વાસ્તવિકતામાં છે તો દોષોનું ૧ર૬ જૈન ધર્મનું હાર્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy