________________
સ્થાન પણ કેવી રીતે તેને ઉપચારથી ગુણસ્થાનક કહે છે અને એમાં પણ તાત્ત્વિક અને અતાત્ત્વિકનો ભેદ કેવો છે તે વાત આપણે સમજ્યા.
બીજું ગુણસ્થાનક સમજવા માટે એક નાનકડું ઉદાહરણ પર્યાપ્ત થઈ રહેશે. એક ખંડમાં અજવાળું થઈ ગયું હોય, બધાં બારી-બારણાં ખૂલી ગયાં હોય અને પછી સંજોગોવશાત્ કોઈ આવીને ઓચિતાં જ બધાં બારી-બારણાં બંધ કરી દે તો અંદર રહેલા જે માણસો હોય તેમને કેવું દેખાય ? ખંડમાં ફરીથી અંધારું થઈ ગયું છે પણ એકવાર જે પ્રકાશ થયેલો અને તેના અજવાળામાં ખંડમાં પડેલી વસ્તુઓ દેખાઈ હતી તે હવે સ્પષ્ટ નહિ દેખાય છતાં તેના આકારો-ઓળાઓ હજુ દેખાયા કરશે. બારી-બારણાંની તડો પણ પુરાઈ જાય અને સંપૂર્ણ અંધકાર ઊતરી પડે અને વસ્તુ માત્ર દેખાતી બંધ થઈ જાય તેના પહેલાંની અવસ્થા જેવું અલ્પ સમયનું આ બીજું ગુણસ્થાનક છે. તેને સાસ્વાદન ગુણસ્થાનક એટલા માટે કહે છે કે ગુણોની જે કંઈ અનુભૂતિ થઈ હતી તે તો સરી પડી પણ તેનો સ્વાદ રહી ગયો. સ્વાદની સ્મૃતિ જેવી અવસ્થાવાળા આ બીજા ગુણસ્થાનકને સાસ્વાદન ગુણસ્થાનક તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં મોહનીય કર્મના ઊંચકાયેલા પડદા પાછા પડી ગયા પણ જે જોયું હતું તેના ઓળા થોડીક વાર વર્તાયા. - ત્રીજું ગુણસ્થાનક જરા વધારે સુરેખ બને છે. તેમાં જીવ સાચા-ખોટાને સમજવા લાગે છે પણ હજુ તે મૂંઝાયેલો તો છે જ. તેને ગુણ ગમે છે અને દોષ પણ ગમે છે. તેને બન્નેનું મહત્ત્વ સરખું લાગે છે. તે બહારની ચમક-દમકથી અંજાય
આત્માનું ઊર્ધ્વરોહણ
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org