________________
છૂટવા માટે કર્મ સાથે સંઘર્ષ કરવો પડે. કર્મ સાથેના સંઘર્ષનો માર્ગ તે મોક્ષમાર્ગ જેનું વર્ણન જૈન શાસનમાં ચૌદ ગુણસ્થાનકો તરીકે કરવામાં આવે છે.
કર્મના પ્રભાવને, તેની વ્યવસ્થાને સમજવા માટે કર્મનું આઠ પ્રકારે વિભાગીકરણ કરવામાં આવે છે જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ આઠેય પ્રકારનાં કર્મો આપણા ઉપર આધિપત્ય જમાવે છે અને આપણને કનડે છે - પીડે છે. પણ આ આઠેયમાં જો સેનાપતિ જેવું જો કોઈ હોય તો તે મોહનીય કર્મ છે. તેથી આપણે ખરું યુદ્ધ કરવાનું છે મોહનીય કર્મ સાથે કે જે આત્માની અગવડને પણ સગવડ દેખાડે છે. આત્માના વિકાસને અવરોધનાર કર્મ, મોહનીય કર્મ છે. મોહનીય કર્મને વશ થયેલા જીવને સાચી પરિસ્થિતિ સમજાતી નથી. તેને સારાસારનો વિવેક હોતો નથી. સંસારના મોટા ભાગના જીવો
આ અવસ્થામાં હોય છે. આત્માના વિકાસનો જે જીવોએ માર્ગ લીધો તે પણ એક કાળે આ અવસ્થામાં જ હતા. જીવની ગાઢ મૂર્છાની કે મોહની આ અવસ્થાને ધર્મમાં - ગુણસ્થાનકમાં મિથ્યાત્વને નામે ઓળખવામાં આવે છે. મિથ્યાત્વ અવસ્થા એ સંસારના સકળ જીવોનું પારણું છે જેમાં અનંત કાળથી સંસારના જીવો ઝોલાં ખાય છે. થોડાક ભાગ્યશાળી જીવો જે આત્માના વિકાસને પંથે પળ્યા તે પણ એક કાળે મિથ્યાત્વના
આ પારણામાં પોઢ્યા તો હતા જ. આ મિથ્યાત્વ આત્માના વિકાસનું પ્રથમ પગથિયું છે જેથી તેને પ્રથમ ગુણસ્થાનક કહે છે. સ્વાભાવિક રીતે વિચાર આવે કે મિથ્યાત્વ છે તો મોટો
આત્માનું ઊર્ધ્વરોહણ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૫
www.jainelibrary.org