________________
-
૧૪|| આત્માનું ઊધ્વરોહણ |
આત્માથી પરમાત્મા સુધીનો માર્ગ ઘણો લાંબો અને વિકટ હોય છે. ઘણીવાર સાધક મૂંઝાઈ જાય છે કે પોતે ક્યાં ઊભો છે અને મંજિલ કેટલે દૂર છે. જેમ સાગરખેડુઓ પોતે સાગરમાં કયા અક્ષાંશ અને રેખાંશ ઉપર છે તેનું સતત ધ્યાન રાખતા હોય છે તેમ સાધકે પોતે સાધનાપથ ઉપરના પોતાના સ્થાનથી સતત માહિતગાર રહેવું જોઈએ. પોતે ક્યાં ઊભેલો છે તે જાણીને આગળની યાત્રાની તૈયારી કરવી જોઈએ. આ યાત્રામાં ઘણીવાર યાત્રિકો વચ્ચેથી ગબડી પડે છે અને છેક નીચે પણ ફેંકાઈ જાય છે. ભગવાન મહાવીર કુશળ સાર્થવાહક છે. તેમણે પોતે તો સાધનાપથ ચાતરી લીધો પણ પાછળ આવનારાઓ માટે સીમાના પથ્થરો - માઈલ સ્ટોન્સ મૂક્યા છે. તેના ઉપર આગળનું અંતર બતાવતાં નિશાન મૂક્યાં છે. સાધનાપથનું આટલું સચોટ અને સૂક્ષ્મ વર્ણન જગતમાં અન્ય ક્યાંય જોવા મળતું નથી.
જૈન ધર્મમાં પરમાત્માને શરણે જવાની વાત નથી કે તેનામાં ભળી જવાની વાત નથી. તેમાં પોતે જ પરમાત્મા બનવાનું છે. પરમ ઐશ્વર્યના પદ ઉપર પહોંચી શકાય તેવી કોરી વાતો કરીને તીર્થકરો વીરમ્યા નથી. તેમણે માર્ગ ચાતરી બતાવ્યો છે. તેમાં આવતાં ભયસ્થાનોનું નિર્દેશન કર્યું છે અને ક્યાં કેવા પડાવો આવે છે તેનું સવિસ્તર વર્ણન કર્યું છે. પણ હા, જૈન ધર્મમાં ભગવાન કૃપા કરીને તમને ઊંચકીને સીધા જ ઉપર ન મૂકી દે. ચાલવું તો તમારે જ પડે. પરમાત્મા
જૈન ધર્મનું હાર્દ
૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org