________________
ક્રમે જીવનનો અભિગમ બદલાઈ જાય છે. ધર્મનાં અનુષ્ઠાનોમાં ભાવનાથી પ્રાણ પુરાય છે. અધ્યાત્મના માર્ગ ઉપરથી પડતા જીવને ભાવનાઓ ઝીલી લઈને વળી પાછો આગળ મૂકી દે છે. ભાવનાનો કેટલો વ્યાપ કરવો અને ચિંતનના ઊંડાણમાં કેટલું ઊતરવું તે બધાનો આધાર જીવની પોતાની ક્ષમતા ઉપર રહે છે. ભાવનાઓ સરળ દેખાય છે માટે રખે કોઈ તેના સામર્થ્યને અલ્પ આંકે. આત્મા ઉપર પડેલા કર્મના સાહચર્યને તોડી નાખવાની ભાવનામાં ઘણી તાકાત છે. અશુભ સાથેના સાહચર્યને તોડીને શુભ કે શુદ્ધ સાથેનું સાહચર્ય વધારવા માટે સમસ્ત ભાવનાયોગ છે. ધ્યાનયોગ સૌને માટે સુલભ નથી પણ ભાવનાયોગ સૌને માટે સુલભ છે.
ભાવનાયોગ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૧
www.jainelibrary.org