________________
ગુણી-ગુણિયલ છીએ તેવું અભિમાન થઈ જાય તો તે આપણા કર્મબંધનું કારણ બને છે. સર્વ જીવો કર્મને વશ રહી વર્તે છે તેમ સમજીને આપણે તટસ્થ રહીએ તો જ ભાવનાનો મર્મ સચવાય. સલાહ—શિખામણ કે ઉપદેશનું પરિણામ વિપરીત આવે તેમ હોય તો મૌન રહેવું વધારે યોગ્ય છે. દોષદર્શન કે દોષની જે વાત ઉપકારક નીવડે તેમ ન હોય તો તેનાથી દૂર રહી તેની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવનાનો મર્મ છે. કર્મબંધની સૂક્ષ્મ વિચારણાના આધારે આ ભાવના ઊભેલી છે.
આમ, આપણે ભાવનાઓ ઉપર સવિસ્તર વિચાર કર્યો છે. ભાવના એ પણ યોગ છે. ભાવનાયોગ સરળ છે તેથી તેનું મૂલ્ય ઓછું આંકવાની જરૂર નથી. ભાવનાયોગ વિશેષતઃ કર્મના સંવરની સાધના છે. જ્યારે ધ્યાનયોગ કર્મની નિર્જરાની સાધના છે. આરાધનાના માર્ગમાં સંવર અને નિર્જરા બન્નેનું મહત્ત્વ છે. શુદ્ધ ચિત્ત વિના ધ્યાનની પણ સિદ્ધિ નથી. અને ચિત્તની શુદ્ધિ માટે ભાવના જેવું કોઈ સરળ સાધન નથી. ચંચળ ચિત્તવાળાઓ માટે તો ભાવનાયોગ ઘણો અનુકૂળ યોગ છે કારણ કે તેમાં ચિત્તનિરોધ નથી પણ ચિત્તને ઇષ્ટ માર્ગમાં વાળવાની કે વહાવવાની વાત છે. અનિત્યાદિ બાર ભાવનાઓ આત્મલક્ષી ચિંતનની ભાવના છે તો મૈત્રાદિ ચાર ભાવનાઓ પરાભાવનાઓ એટલે કે અન્ય સાથેના વ્યવહારની ભાવનાઓ છે. આ બન્ને પ્રકારની ભાવનાઓ ભેગી મળીને ભાવનાયોગમાં પરિણમે છે.
ભાવનાઓમાં અનર્ગળ શક્તિ રહેલી છે. ભાવનાઓ મનુષ્યના સમગ્ર વ્યક્તિત્વને પલટી નાખે છે. તેનાથી ક્રમે
જૈન ધર્મનું હાર્દ
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org