SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવાચી છે એટલે કે એમાં આત્માના ગુણોની પ્રાપ્તિનું મહત્ત્વ છે. જૈન ધર્મની બધી ક્રિયાઓ પાછળ આત્માના ગુણોની પ્રાપ્તિનો-વિકાસનો હેતુ રહેલો છે. તેથી જૈન માત્ર માટે પ્રમોદ ભાવના સહજ હોવી જોઈએ. આ ભાવનાના સેવનથી ભાવકના ચિત્તમાં પણ ગુણનો વિકાસ થાય છે. જો આપણે અન્યના ગુણો જોઈ પ્રસન્ન ન થઈ શકીએ તો અવશ્ય સમજવું કે આપણા ધર્મનો પાયો હજુ કાચો છે. કરુણાની ભાવનામાં જીવ માત્રનું દુઃખ જોઈને કે તેની પીડા જાણીને હૈયું કરુણાથી ભરાઈ જાય. જીવ માત્ર સુખનો ઇચ્છુક છે અને સુખ માટે પ્રયત્નશીલ રહે છે. એમાં કેટલાય જીવો સફળ રહે છે તો કેટલાકના નસીબમાં પીડા અને દુઃખ જ આવી મળે છે. અન્ય જીવનું દુઃખ જોઈ-જાણીને આપણું હૈયું ભરાઈ જાય તો અવશ્ય જાણવું કે ધર્મમાર્ગમાં આગળ વધવાની આપણામાં યોગ્યતા આવી ગઈ છે. કરુણાની ભાવનાથી જે જીવ વાસિત થયેલો હોય તે સૌના સુખનો, શાન્તિનો, સ્વાસ્થ્યનો વિચાર કરતો. હોય. સૌ જીવોમાં મારા જેવું જ આત્મતત્ત્વ છે એવા ભાવથી ચિત્ત રસાયેલું હોય તો જ અન્યની પીડા જોઈ આપણું હૃદય કરુણાથી દ્રવી ઊઠે. આ ભાવનામાં અદ્ભુત શાન્ત રસ છે. મધ્યસ્થ ભાવનાને ઉપેક્ષા ભાવના પણ કહે છે. આ ભાવનામાં અન્યના દોષો કે ક્ષતિ પ્રત્યેના આપણા ભાવની વાત છે. પ્રમોદમાં અન્યના ગુણ જોઈ આનંદવાની વાત છે, તો મધ્યસ્થમાં અન્યના દોષોની ઉપેક્ષા ક૨વાની વાત છે. કોઈના દોષ જોઈ આપણને તેના તરફ ઘૃણા થઈ જાય કે આપણે ભાવનાયોગ Jain Education International For Private & Personal Use Only ૧૧૯ www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy