SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, અનિત્યથી શરૂ થતી અને બોધિમાં વિરમતી બાર ભાવનાઓનું બંધારણ છે તો એની સાથે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્યની ભાવનાઓનો પણ વિચાર થાય છે. જો આ ચાર ભાવનાઓને આગળની બાર ભાવનામાં ઉમેરીએ તો સોળની સંખ્યા થાય. પૂર્વધર આચાર્ય ઉમાસ્વાતિ મહારાજે આ સોળે ભાવનાઓને અનુપ્રેક્ષા તરીકે ઓળખાવી છે. આ સોળેય ભાવનાઓ મહદ્ અંશે આત્મલક્ષી ભાવનાઓ છે. જેનું લક્ષ્ય પરમાત્મ અવસ્થાની પ્રાપ્તિ છે. પ્રકારાન્તરે જૈન મનીષીઓએ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એમ અન્ય ચાર ભાવનાઓ પણ ગણાવી છે. આ ભાવનાઓ, ઉપરની બાર ભાવનાઓ કરતાં એક રીતે જુદી પડી જાય છે કારણ કે આ ભાવનાઓ સમાજલક્ષી કે સંસારના અન્ય જીવો સાથેના વ્યવહારની છે. મૈત્રી ભાવનામાં સંસારના તમામ જીવોના હિતનો વિચાર કરવામાં આવે છે. એમાં મનુષ્ય એકલાના નહિ પણ જીવ માત્રના સુખનો વિચાર થાય છે. મૈત્રી એ એવો સંબંધ છે કે જે સર્વ સાથે સ્થાપિત થઈ શકે, જ્યારે સગપણના સંબંધોને મર્યાદા રહે છે. જેના હૈયે મૈત્રીભાવ વસે છે તેની અંદર કાયમની અમીવર્ષા થતી જ રહે છે. મૈત્રી પછી પ્રમોદ ભાવના છે જે ગુણાનુરાગની ભાવના છે. કોઈના પણ ગુણ જોઈ હૈયું આનંદથી નાચી ઊઠે તે નાનીસૂની વાત નથી. માણસ જલદીથી કોઈના દોષ જોઈ શકે છે. પણ ગુણ જોવા માટે અંતરની સ્વસ્થતા હોવી જરૂરી છે. પ્રમોદ ભાવના ગુણગ્રાહી ભાવના છે. આમ તો સમસ્ત જૈન ધર્મ જૈન ધર્મનું હાર્દ ૧૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy