________________
પોતાના સ્વભાવમાં આવી જાય છે. આમ ધર્મ ભાવનામાં આત્માના સ્વભાવનું ચિંતન થાય છે. જીવ પોતાના મૂળ સ્વભાવથી વિપરીત ભાવમાં ભ્રમણ કરે તો તે વિભાવમાં રમે છે તેમ કહેવાય. જાગેલા જીવનું લક્ષ્ય, વિભાવોને છોડી દઈ પોતાના સ્વભાવમાં આવી જવાનું છે. જૈન ધર્મની આ એક ગહન વાત છે કે જીવે કંઈ નવું પ્રાપ્ત કરવાનું નથી. આત્મા અનંતનો સ્વામી છે; પણ કર્મથી તે દબાઈ ગયો છે તેથી તેની શક્તિ કુંઠિત થઈ ગઈ છે. મૂળ વાત છે જીવના ઊઘડવાની
– વિભાવોને હટાવવાની. વાદળાં ખસી જાય એટલે સૂર્ય પૂર્ણ રીતે પ્રકાશી ઊઠે છે તેમ વિભાવો ખસી જતાં જીવનો ઉઘાડ થાય છે અને આત્માનાં અજવાળાં પથરાઈ જાય છે.
ધર્મભાવના પછી છેલ્લે બોધિ' ભાવના આવે છે. બોધિ એટલે બોધ. બોધ એટલે સંસારમાં શું મેળવવા જેવું છે અને શું છોડવા જેવું છે તેનું જ્ઞાન. ચૈતન્ય એવો આત્મા જડ એવા શરીરથી ભિન્ન છે એ વાતની પ્રતીતિ બોધના પાયામાં રહેલી છે. બોધિથી જીવ પોતાની ઉપરનાં કર્મનાં આવરણો દૂર કરી ઊઘડતો જાય છે. કળી ખીલીને મઘમઘતું ફૂલ બનવા માંડે છે. જીવની આડે આવેલાં મોહનાં પડળો “બોધિ' પ્રાપ્ત થતાં ખસી જાય છે અને તે સમાધિની પ્રાપ્તિની દિશામાં આગળ વધતો જાય છે. બોધિથી જીવની સૌ ઉપાધિઓ ટળી જાય છે અને તે સમાધિ પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈ જાય છે. સમાધિ પ્રાપ્ત થંતા આત્માની આગળની યાત્રાનો માર્ગ મોકળો થઈ જાય છે અને આત્મા ત્વરિત ગતિએ તેના ગંતવ્ય – સિદ્ધશિલા તરફ આગળ વધવા માંડે છે.
-
-
ભાવના યોગ
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org