________________
સંસર્ગ કેવી રીતે થાય છે તે બધી વાતો આસવ ભાવનામાં વિચારવામાં આવે, કર્મને કેવી રીતે રોકી શકાય તે બાબત સંવરમાં વિચારવામાં આવે અને લાગેલાં કર્મોને કેવી રીતે આત્માથી અલગ કરી શકાય તે નિર્જરામાં વિચારવામાં આવે. આત્મા ઉપર કર્મનો શો પ્રભાવ છે અને તેનાથી આત્મા કેવો પરાધીન બની ગયો વગેરે બાબતોનો વિચાર કરતાં આ ત્રણ ભાવનાઓ ભાવવાની હોય છે, તેનું ચિંતન કરવાનું હોય છે. કર્મ અંગેની જાણકારી જેટલી વધારે હોય તેટલા પ્રમાણમાં આ ત્રણેય ભાવના ઉપર ચિંતન થઈ શકે છે. આસવ, સંવર અને નિર્જરા આ ત્રણેય ભાવનાઓના ચિંતનથી કર્મબંધ ઘણા શિથિલ થઈ જાય છે અને જીવ આગળની યાત્રા માટે ઘણો હળવો થઈ જાય છે.
ઉપરની કર્મવિષયક ત્રણે ભાવનાઓ ભાવતો જીવ ધીમે ધીમે પોતાના સ્વભાવમાં આવવા લાગે છે. આત્માનો મૂળ સ્વભાવ અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતવીર્ય – ઉત્સાહ અને અનંત આનંદ છે. આમ તો આત્મા અનંતનો સ્વામી છે પણ કર્મના સંગથી તેને પોતાની સંપત્તિની વિસ્મૃતિ થઈ ગઈ છે. આત્માને પોતાના સ્વભાવનું ભાન થઈ જાય કે તરત જ તે કર્મ માત્રને છોડી દેવા તત્પર થઈ જાય છે. આમ, આત્માના સ્વભાવ વિશેનું ચિંતન તે ધર્મ ભાવના છે.
ધર્મ શબ્દનો વાસ્તવિક અર્થ સ્વભાવ છે. વસ્તુનો સ્વભાવ તે જ તેનો ધર્મ. આત્માનો મૂળ સ્વભાવ તે આત્માનો ધર્મ છે પણ કર્મના સંગમાં આત્મા પોતાના સ્વભાવથી – ધર્મથી ચૂત થઈ ગયો છે. કર્મનો સંગ છૂટી જતાં આત્મા આપોઆપ
જૈન ધર્મનું હાર્દ
૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org