________________
શુદ્ધ સ્વરૂપને ગુમાવી બેઠો છે. કર્મના કીચડમાં રગદોળાયેલો હોવા છતાંય તે તેમાંથી બહાર નીકળવા તત્પર થતો નથી. જીવને કર્મની અશુચિ સમજાઈ જાય અને આત્માના શુદ્ધ સ્વરૂપનું, તેના દૈવતનું, તેની દેદીપ્યમાન અવસ્થાનું તેને ભાન થઈ જાય પછી અનંત શક્તિ અને સામર્થ્યનો સ્વામી એવો આત્મા, આળસ દૂર કરીને કર્મનો કીચડ દૂર કરવા મેદાને પડે છે. અશુચિ ભાવનાનું આ મહત્ત્વ છે. આ ભાવનાનું ચિંતન કરતો જીવ પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા તત્પર થઈ જાય છે.
એક વાર કર્મનો કીચડ દૂર કરવાનો જીવને વિચાર આવે અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આવી જવાની ઉત્કંઠા જાગે પછી જીવ જાગ્રત થઈ જાય છે. ત્યાર પછી તે નવો કર્મકીચડ પોતાની અંદર આવવા નથી દેતો. કચરાને રોકવા જેમ ઘરમાં કમાડ બંધ કરીએ છીએ તેમ કર્મરૂપી કચરાને આવતો રોકવા જીવ પોતાની વાસનાઓને મૂકવા માંડે છે. કષાયોને પાતળા કરી નાખે છે. બહારનો કચરો કે અશુદ્ધિ આવતાં રોક્યા પછી જીવાત્મા પોતાને વળગી રહેલી અશુદ્ધિનો-કર્મનો વિચાર કરે છે અને તેને ધોઈ નાખવા, તેને ખોતરી કાઢવા જપ-તપધ્યાન-ધારણા ઇત્યાદિ અનુષ્ઠાનોમાં લાગી જાય છે. કર્મકીચડનું આત્મા સાથે લાગવું તેને આશ્રવ કહે છે. કર્મને આત્મા ઉપર લાગતાં રોકવા એટલે કે કર્મના પ્રવેશને રોકવો તેને સંવર કહે છે. આત્મા સાથે ઓતપ્રોત થઈને પડેલાં કર્મોને ખોતરીને ઉખાડી નાખવાં તેને નિર્જરા કહે છે. આમ આસ્રવ, સંવર અને નિર્જરા – ત્રણે ભાવનાઓ કર્મલક્ષી છે. જીવને કર્મનો
ભાવનાયોગ
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org