SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનામાં ત્રણ લોક – ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક અને તેના વિસ્તારનો તેમજ ત્યાંની પરિસ્થિતિનો, ત્યાં રહેલા જીવો ઇત્યાદિનો, વિચાર કરવામાં આવે છે. એમાં દેવોનું એશ્વર્ય કેટલું બધું? તો નારકીનાં અપરંપાર દુઃખ અને મધ્યલોકવાસી જીવોનાં સુખ-દુઃખ વગેરેનો વિચાર થાય છે. અનંતા ભવો કરતો જીવ તેના ભવભ્રમણમાં આ બધા આલોકને કોણ જાણે કેટલીય વાર સ્પર્યો હશે પણ ક્યાંય તેને પોતાનું ઘર મળ્યું નહિ તે બાબત વિચાર કરતાં આલોકના અગ્રભાગ ઉપર રહેલી સિદ્ધશિલાનો વિચાર થાય છે કે જ્યાં સિદ્ધ પરમાત્માઓ અનંત સુખમાં સ્થિતિ કરીને રહેલા છે. શાશ્વત સુખના આ અવિચળ ધામમાં કેવી રીતે પહોંચાય, આ નિરર્થક ભવભ્રમણનો અંત કેવી રીતે આવે ઈત્યાદિ બાબતોનો વિચાર કરતો જીવ પોતાની વર્તમાન અવસ્થાની અલ્પતા સમજીને પરમ ઐશ્વર્યની સ્થિતિ તરફ મીટ માંડતો થઈ જાય છે. સાતમી ભાવના અશુચિ છે. આપણાં ઘણાં પુસ્તકોમાં શરીરની ગંદકીનાં વર્ણન કરીને આ ભાવનાનો વિસ્તાર કરવામાં આવેલો છે. શરીર ગંદકીનો ગાડવો હશે તો એ જ શરીર સિદ્ધિ મેળવવાનું સાધન પણ છે. વાંક શરીરનો નથી. શરીર એ જડ પરમાણુઓનું બનેલું છે. પદાર્થ માત્ર તેના ગુણધર્મો પ્રમાણે વર્તે છે. તેમાં આપણે કંઈ રાગ-દ્વેષ કરવા જેવું નથી પણ આપણે જે અશુચિની વાત સમજવાની છે તે આત્માની અશુદ્ધિની. શુદ્ધ એવા આત્માના સ્વરૂપને આપણે વીસરી ગયા છીએ અને કર્મથી મલિન થયેલો આત્મા સંસારમાં રખડ્યા કરે છે, વિધ-વિધ રીતે પીડાય છે. મોહને વશ થઈને તે પોતાના ૧૧૪ જૈન ધર્મનું હાર્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy