________________
છે, સરકી જાય છે તે સંસાર – એની અંતર્ગત ખાસ તો જન્મ, જરા, મૃત્યુ આવી જાય છે. જેને આપણે જીવન કહીએ છીએ તે એક સ્વપ્નથી કંઈ વિશેષ નથી બની રહેતું. હજુ તો જાણે કાલે જન્મ્યા હોઈએ અને જ્યાં લાગે કે હવે સમજણમાં આવ્યા, જીવવા માટે બધી ગોઠવણ કરી ત્યાં તો જવાનો સમય આવીને ઊભો રહે છે. મહેફિલ માંડ સજાવી રહ્યા હોઈએ ત્યાં તેને ઉઠાવવાનો સમય આવી પહોંચે છે. હજુ તો વાજિંત્રો સાજ મેળવી રહ્યાં હોય અને માંડ બેચાર ગીતો ગાયાં – ન ગાયાં ત્યાં તો સંગીતનો જલસો ઊઠી જાય છે. તંબુ ઠોક્યા અને તેમાં વસવાની માંડ વ્યવસ્થા કરી ત્યાં તો તંબુ ઉઠાવવાનો સમય થઈ જાય છે. સંસારનું આ સ્વરૂપ છે. જાણે નાટકમાં પડદો ખૂલ્યો-ન ખૂલ્યો, ત્યાં તો પડદો પાછો પડી જાય છે. આવો છે સંસાર. છતાંય આપણે કેટલું દોડી મરીએ છીએ! આમ જોઈએ તો જન્મથી મૃત્યુ સુધીની આપણી નાનકડી યાત્રા માટે કેટકેટલી તૈયારીઓ કરીએ છીએ જે અંતે નિરર્થક નીવડે છે. સંસારના આવા સરકતા સ્વરૂપનો વિચાર જેના મનમાં દૃઢ થઈ જાય છે તેની નજર પછી કોઈ શાશ્વત સુખની ખોજમાં નીકળી પડે છે અને પછી તે રેતીના પાયા ઉપર પોતાનું ઘર ક્યારેય બાંધતો નથી.
ત્યાર પછી આવે છે લોકભાવના - લોકસ્વરૂપ ભાવના. એમાં વિશ્વના વિસ્તારનો વિચાર કરવામાં આવે છે. આપણું જગત કે જેમાં આપણે રચ્યા-પચ્યા રહ્યા છીએ તેનું સમગ્ર વિશ્વમાં શું સ્થાન છે અને એમાં આપણે ક્યાં છીએ ? – તે બધો વિચાર આ લોકભાવનામાં કરવામાં આવે છે. આ
૧૧૩
ભાવનાયોગ
જૈહા-૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org