SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ બનાવે નહિ પણ પરમાત્મા તો સાધકે સાધના કરી જાતે જ બનવું પડે. મોક્ષનો માર્ગ એ પરમ પુરુષાર્થનો માર્ગ છે. આ માર્ગ ઉપર ચૌદ પડાવો આવે છે જેને ગુણસ્થાનકો કહેવામાં આવે છે. સાધકમાં આત્માના ગુણોની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય તેમ તેમ તે આગળ વધી શકે છે તે વાતનું સૂચન ગુણસ્થાનકો” કે “ગુણઠાણાં' શબ્દથી જ થઈ જાય છે. આ શબ્દોથી ખ્યાલ આવી જાય છે કે આ માર્ગ આત્માના ગુણોની વૃદ્ધિનો માર્ગ છે. આત્માના ગુણોની વૃદ્ધિ કેવી રીતે થઈ શકે તે વિશે વિચાર કરીએ તો જ આ માર્ગમાં આગળ વધાય. જૈન ધર્મ પ્રમાણે જીવ આજે જે કંઈ છે તેને માટે તે પોતે જ જવાબદાર છે અને આગળ ઉપર તે જે કંઈ થઈ શકશે તે પણ તેનાં ભૂતકાળનાં કર્મો અને વર્તમાનના પુરુષાર્થને આધીન રહેશે. જીવ પોતાનાં કર્મો પ્રમાણે જ સુખ-દુઃખ, શાન્તિ-અશાન્તિ, યશ-અપયશ, સુરૂપતા-કુરૂપતા ઇત્યાદિ પ્રાપ્ત કરે છે. જીવના ઉત્થાન અને પતન માટે જીવનાં કર્મો જ જવાબદાર છે. માટે મોક્ષમાર્ગમાં પ્રસ્થાન કરનાર જીવે કર્મને જ પોતાનું નિશાન બનાવીને સંઘર્ષ કરવાનો છે. કર્મ એ જીવનો પોતાનો વારસો છે. વારસામાં મળેલી એ સંપત્તિને વધારવી, ઘટાડવી કે વેડફવી તે જીવના પોતાના પુરુષાર્થને આધીન રહે છે. કોઈને વારસામાં સંપત્તિ મળે તો કોઈને બાપનું દેવું પણ મળે. શાણો વારસદાર દેવું ફેડી નાખે અને સંપત્તિનું ઉપાર્જન કરી સમૃદ્ધ થઈ જાય. તો કોઈ સંપત્તિ વેડફી નાખીને છેવટે દેવાળું પણ ફૂકે. વાતનો મર્મ એટલો જ છે કે વારસો આત્માનું ઊર્ધ્વરોહણ ૧ર૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy