________________
રાખીશું ? જે પૃથ્વી ઉપર આપણે પગ ટેકવીને ઊભા છીએ તે પણ સ્થિર નથી, પૃથ્વી પણ બ્રહ્માંડમાં હરપળે ખસી રહી છે, ઘૂમી રહી છે. એક વખત આ અનિત્યતા સમજાઈ જશે, તેના સંસ્કાર ગાઢ થઈ જશે પછી તમે જ જાણે તમે નહિ રહો. જીવન પ્રત્યેનો તમારો સમસ્ત અભિગમ બદલાઈ જશે. બધુંય જ્યારે પસાર થઈ રહ્યું છે ત્યારે તમે કોને તમારું ગણશો અને કોના ઉપર આસક્તિ રાખશો ?
સંસારની ક્ષણભંગુરતાનું જેને સતત સ્મરણ રહ્યા કરે તેનું ચિત્ત શાશ્વતની શોધમાં નીકળી પડ્યા વિના નહિ રહે અને ત્યાર પછી ધર્મ સિવાય અન્ય કોઈ વાત ઉપર ચિત્ત ઠરશે નહિ. એક વખત આવી મનોમય ભૂમિકાની માંડણી થઈ જશે પછી ધર્મનાં બધાં અનુષ્ઠાનો અમૃત અનુષ્ઠાનો બની જશે અને તે અનેકગણું ફળ આપનારાં બની રહેશે.
આવી જ બીજી ભાવના છે ‘અશરણ’, અનિત્ય ભાવનાના સેવનથી મોહનાં મૂળિયાં ઢીલાં પડી જાય છે, જ્યારે અશરણ ભાવનાના રટણથી પોતાના ઉત્તરદાયિત્વ પ્રત્યેની સભાનતા કેળવાય છે અને પુરુષાર્થ માટેનાં દ્વાર ખૂલી જાય છે. જ્યાં સુધી જીવને કોઈનો આધાર હોય ત્યાં સુધી તે ખાસ કંઈ કરતો નથી. પિતાની છત્રછાયામાં ઊછરતા પુત્રનું વ્યક્તિત્વ પણ જોઈએ તેવું ઘડાતું નથી. ઝાડની ઓથે ઊગતા છોડનો પણ પૂરો વિકાસ થતો નથી. અન્ય ઉપર જીવનાર કે નભનાર જીવોનો પણ યોગ્ય વિકાસ થતો નથી. જૈન ધર્મ અશરણ ભાવનાનું આરોપણ કરીને મનુષ્યને પોતાની જવાબદારીનું સંપૂર્ણ ભાન કરાવી દીધું છે. કોઈ કોઈનું નથી. કોણ કોને મદદ
જૈન ધર્મનું હાર્દ
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org