________________
સંબંધો, વસ્તુઓ બધું જ સતત ખસી રહ્યું છે – બધું જ બદલાઈ રહ્યું છે. આપણે પોતે સદંતર બદલાઈ ગયા. અસ્તિત્વમાં ક્યાંય કશું સ્થિર નથી. જોતજોતામાં મીઠી મઝાની ઉષ્માભરી સવાર સાંજમાં પલટાઈ જાય છે અને પળવારમાં સાંજ રાત્રિમાં ઢળી જાય છે. પ્રકૃતિ એટલે જ પરિવર્તન – સતત પરિવર્તન; છતાંય આપણે બધાને સ્થિર માનીને વ્યવહાર કર્યા કરીએ તો નિરાશા ન મળે તો બીજું શું મળે ?પરિસ્થિતિ, સંજોગો, સંબંધો હાથમાંથી સરકી જાય પછી આપણે રડીએ છીએ, કકળીએ છીએ અને જે સરકી ગયું તેને પુનઃ પ્રાપ્ત કરવા ઝંખીએ છીએ, ઝાંવાં નાખીએ છીએ તેમાં દોષ કોનો ?
માટે હાલતાં, ચાલતાં, બેસતા-ઊઠતાં સતત અનિત્ય ભાવના ભાવ્યા કરો કે બધું બદલાઈ રહ્યું છે, ક્ષણે ક્ષણે પરિવર્તન થઈ રહ્યું છે, કશુંય ક્યાંય સ્થિર નથી પછી જુઓ કે તમારી અંદર શું ઘટિત થાય છે. ત્યાર પછી વસ્તુઓ અને વ્યક્તિઓ સાથેનો તમારો લગાવ તૂટી જશે. આસંક્તિ ઊતરી જશે. પછી મિત્ર પાછળ તમે ઘેલા નહિ બનો અને શત્રુ સાથે એટલા કટુ નહિ રહી શકો. આજનો મિત્ર કદાચ કાલનો શત્રુ પણ હોય અને આજનો શત્રુ કાલનો ગાઢ મિત્ર પણ બની જાય. આજે જે પ્રિય છે તે કાલે અપ્રિય થઈ પડે અને આજે જે અળખામણું છે તે કાલે વહાલું થઈ પડે. કશું જ નિત્ય નથી ત્યાં કોના ઉપર રાગ રાખીશું કે કોનો દ્વેષ કરીશું ? અરે, આપણો પોતાનો દેહ, જેની આસપાસ આપણો સકળ સંસાર ઊભો છે તે પણ પળે પળે બદલાઈ રહ્યો છે એટલું જ નહિ, પણ તેનું વિસર્જન થઈ રહ્યું છે; પછી કોના ઉપર વિશ્વાસ
ભાવનાગ
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org