________________
ભાવનાઓનું વિભાજન વિવિધ રીતે કરવામાં આવે છે પણ સામાન્ય રીતે અનિત્યાદિ બાર ભાવનાઓનું આયોજન વધારે પ્રચલિત છે. એમાં પ્રથમની અનિત્ય ભાવના જ એટલી શક્તિશાળી છે કે તે અનિષ્ટ બાબતોના મૂળમાં જ ઘા કરી તેમને નિરર્થક બનાવી દે છે જેથી આગળની ભાવનાઓનું કાર્ય ઘણું સરળ બની રહે છે.
આ સંસારમાં બધું ક્ષણભંગુર છે, બધું જ અનિત્ય છે, છતાં કોણ જાણે કેમ આપણે બધાને સ્થિર માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. વસ્તુઓ, સંબંધો, પર્યાવરણ બધું ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે. છતાંય તેને સ્થિર માનીને જીવવું કે વ્યવહાર કરવો તેનાથી વધારે બીજી કઈ મૂર્ખાઈ હોઈ શકે ? આપણી નજર સમક્ષ આજે જ્યાં મહાસાગર ઘૂઘવે છે અને નર્યો જળરાશિ દેખાય છે ત્યાં એક સમયે ઊંચા તોતિંગ પહાડો ઊભા હતા.
જ્યાં આજે ફળદ્રુપ મેદાનો છે ત્યાં એક કાળે નદીઓનાં પાણી વહેતાં હતાં. માની શકાય કે આજે જે જમીન ઉપર પગ મૂકીને આપણે ઊભા છીએ તે એક કાળે સળગતી હતી અને ચારેય બાજુ તેજીલા પવનો ફૂંકાતા હતા. બધું ક્યાં ગયું ? શહેરો થાય છે અને નાશ પામે છે. લીલાછમ બગીચાઓ સૂકા ભટ્ટ રણમાં ફેરવાઈ જાય છે અને રણ ઉપર સમુદ્રો ફરી વળે છે. ' અરે આપણે જન્મ્યા ત્યારે કેવા હતા અને આજે કેવા થઈ ગયા ? આપણા સંબંધો પહેલાં કોની સાથે હતા અને આજે કોની સાથે છે ? પળવાર જેનાથી છૂટા પડી શકતા ન હતા, તે સ્વજનો આજે કેટલે દૂર ફેંકાઈ ગયા છે ? સ્વજનો, ૧૦૮
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org