________________
કંઈ નથી. વર્ષોનું કે ભવાંતરનું આપણે જેની સાથે એસોસીએશનસાહચર્ય હોય છે તે વાત આપણા અવચેતન મન અને અચેતન મનના સ્તરોમાં એટલે સુધી ઊંડે ઊતરી ગઈ હોય છે કે ડૂબકી મારેલા માણસની જેમ, વારંવાર ઉપર આવ્યા જ કરે છે. એમાંય વળી જો કોઈ નિમિત્ત મળે તો તો સંસ્કારો સીધો જ ઉછાળો મારે છે. જ્યાં સુધી આ સંસ્કારોને ઢીલા કર્યા ન હોય, મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો તેના સાહચર્યને તોડ્યું ન હોય ત્યાં સુધી તેની યાદ આવ્યા જ કરવાની અને ચિત્ત હરીફરીને ત્યાં જઈને ચોંટવાનું.
જન્મજન્માંતરના સંસ્કારોને તોડવા માટે આપણે અન્ય પ્રકારના વિચારોનું સાહચર્ય કેળવવું ખૂબ જરૂરી બની રહે છે. અનિત્યાદિ બાર ભાવનાઓ પૂર્વે પ્રાપ્ત થયેલા, ગાઢ થઈ ગયેલા અનિષ્ટ સાહચર્યને તોડીને ઢીલું કરીને નવી વસ્તુઓ કે નવી બાબતો સાથે ઇષ્ટ સાહચર્યનો સંબંધ બાંધે છે. વળી ભાવનાના વિષયોની પસંદગી પણ એવી કુશળતાથી કરવામાં આવી છે કે નવા વિષયો સાથેનું સાહચર્ય કે સહગમન અધ્યાત્મના માર્ગમાં ઘણું સહાયક નીવડે. ભાવનાઓની સહાયથી પૂર્વના સંસ્કારોને, સંજ્ઞાઓને આરાધકે તોડી હશે કે ઢીલી કરી નાખી હશે તો તેનું ચિત્ત એટલા ઠેકડા નહિ મારે અને ચિત્ત ધર્મક્રિયાઓ, સેવા-પૂજા, જપ-તપ, ધ્યાન-ધારણા ઇત્યાદિમાં સારી રીતે ગમન કરશે અને વધારે સ્થિર રહી શકશે. ભાવનાઓનો જો આ પરિપ્રેક્ષ્યમાં વિચાર કરીશું તો આપણે ભાવનાઓને સારી રીતે અપનાવી શકીશું અને તેનો સારો એવો લાભ લઈ શકીશું. ભાવનાયોગ
Jain Education International
For Private & Personal Use Only
૧૦૭
www.jainelibrary.org