________________
પાછો નીચે ન પડે અને એટલે સુધી પહોંચ્યો હોય ત્યાં ને ત્યાં ઝિલાઈ રહે તે માટે ભાવના જેટલું કોઈ પ્રબળ ધારક નથી. ભાવનાને ભવની પરંપરાનો નાશ કરનારી માનવામાં આવે છે. ભાવનાનાં આટલાં બધાં ગુણગાન કેમ કરવામાં આવે છે તે વાત સમજીએ તો આપણે ભાવનાનું મૂલ્ય સમજીને તેને ભાવતા-અપનાવતા થઈ જઈએ.
ધર્મની કોઈ પણ ક્રિયા કરનાર સૌની સામાન્ય ફરિયાદ એ છે કે તે સમયે ચિત્ત ક્રિયામાંથી ખસીને બીજી કેટલીય ફાલતુ વાતો ઉપર ચાલ્યું જાય છે. ચિત્ત સ્થિર ન રહેવાને કારણે આપણી કોઈ ક્રિયામાં તાકાત આવતી નથી. ભટકતા ચિત્તવાળી ભાવ વિનાની આપણી બધી ક્રિયાઓ લૂખા-સૂખા ભોજન જેવી બની રહે છે. તેનાથી પેટ ભરાય, ખાધાનો સંતોષ કદાચ લાગે પણ તેનાથી શરીર કૌવતવાળું ન બને. આપણા કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં આપણે પ્રાણ પૂરવો હોય તો તેની શરૂઆતમાં, તેના મધ્યમાં અને તેના અંતમાં ભાવનાને ભાવતા રહેવી જોઈએ. ભાવના ધર્મના અનુષ્ઠાનને સદાય જીવંત રાખે છે અને તેને ધબકતું રાખે છે તેથી તો ભાવનાને રસાયણ જેવી ગણવામાં આવે છે.
ભાવના એક પ્રખર મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. નોકરીચાકરી, ધન-ધંધો, સંપત્તિ-સંતતિ, ઘર-બહાર, વસ્તુ-વૈભવ ઇત્યાદિ સાથે આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છીએ કે તેની સાથેનો સંબંધ આપણા મનમાંથી ખસતો નથી. આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન જેને જૈન શાસન સંજ્ઞાઓ તરીકે ઓળખે છે તે આપણા જન્મ-જન્માંતરના ગાઢ સંસ્કારો સિવાય બીજું
જૈન ધર્મનું હાર્દ
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org