________________
ભાવનાયોગ
જૈન ધર્મમાં ગીતાર્થ મુનિઓએ ભાવનાનું ઘણું મહત્ત્વ ભાખ્યું છે. પણ આજના જૈન સમાજને ભાવના સરળ લાગતી હોવાથી તેની ઘણે અંશે અવગણના થતી હોય એમ લાગ્યા વિના રહેતું નથી. અથવા તો ભાવનાને ધર્મક્રિયાઓમાં કે ધર્મઅનુષ્ઠાનોમાં જેટલું મહત્ત્વ અપાવું જોઈએ તેટલું મહત્ત્વ અપાયું નથી લાગતું. ભાવના શબ્દ આમ તો ઘણો પ્રચલિત છે પણ જૈન ધર્મમાં તેને જરા વિશિષ્ટ અર્થમાં વાપરવામાં આવે છે. ભાવનાની અંદર ભાવની વાત રહેલી છે. મનમાં કંઈ ભાવ થયો અને તે પછી ઘૂંટાતો રહે તો ભાવના બની જાય. સામાન્ય રીતે જનસમાજે ભાવ અને ભાવના બન્ને શબ્દો વચ્ચે ભેળસેળ કરી નાખી છે. પણ જ્યારે આપણે તેનો આધ્યાત્મિક સંદર્ભમાં વિચાર કરીએ ત્યારે તેને વિશે સ્પષ્ટ થવાની જરૂર રહે છે.
અધ્યાત્મના માર્ગમાં અનેક અડચણો આવે છે અને તેને પાર કરવા માટે ભાવના જેટલું કોઈ સુગમ સાધન નથી. ભાવનાઓનું ગાઢ પરિશીલન કરવામાં આવે તો તે છેક સમાધિની અવસ્થા સુધી પહોંચાડી શકે એમ છે. અધ્યાત્મની અંતિમ યાત્રા ધ્યાનને સહારે કરવી પડે છે. પણ ધ્યાનમાં અંતર્મુહૂર્તથી વધારે સમય રહેવાનું શક્ય ન હોવાથી, વખતોવખત ધ્યાનમાં આંતરો પડે ત્યારે ભાવનાનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. ધ્યાન તે આરોહણની પ્રક્રિયા છે પણ જ્યારે ધ્યાનની ધારા ઊંચે ચઢતી અટકે ત્યારે જીવ
ભાવનાયોગ
૧૩
Jain Education International
For Private & Personal Use Only
૧૦૫
www.jainelibrary.org