________________
તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. પતંજલિની ભાષામાં કહીએ તો જીવનઊર્જા-પ્રાણશક્તિ આજ્ઞાચક્રને પણ- ભેદી આગળ વધીને સહસ્રાર ચક્રમાં જે મસ્તકની ચોટીમાં રહેલું છે ત્યાં સ્થિર થઈ જાય છે અને આત્મા પરમ દૈવતનો સ્વામી બની જાય છે.
અંતમાં એટલું કહેવાનું કે આ લેશ્યાઓની પાર જવા માટે પુરુષાર્થની પ્રબળતા જોઈએ. તે કર્મને આધીન નથી. અહીં જે પુરુષાર્થ કરવાનો છે તે ધર્મનો પુરુષાર્થ કરવાનો છે અને તેમાંય ધ્યાન જેવો કોઈ પ્રબળ પુરુષાર્થ નથી.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
જૈન ધર્મનું હાર્દ
www.jainelibrary.org