________________
જાય છે. પછી તે મનની પાછળ નથી દોડતો પણ મન તેની આજ્ઞામાં રહે છે.
મનોવિજ્ઞાનીઓએ પણ મનુષ્યના આ ભાવજગતનું વિશ્લેષણ કરી કેટલાં તો તારવ્યાં છે. તેમણે ચેતન મન, અવચેતન મન અને અચેતન મનની વાતો કરી છે. તેની પારના સુપર કૉન્શિયસ માઈન્ડ અર્થાત્ અતિમનસની પણ તેઓ વાત કરે છે જે વેશ્યાની પાર આવે કે આજ્ઞાચક્ર ઉપર આવે. આ બધી વાતો લેશ્યાની નજીકની વાતો છે. વિજ્ઞાન લેશ્યાને હવે “ઓરા' તરીકે ઓળખવા લાગ્યું છે. આપણે ત્યાં તેના માટે આભામંડળ શબ્દ વપરાવા લાગ્યો છે. આપણું ચિત્ત જો સ્થિર અને શાન્ત હોય તો તે પણ એક કેમેરાનું કામ આપશે જ અને તે માણસના ભાવજગતને વર્તી જશે, ભાવછાયાના રંગોને પકડી શકશે.
જૈન ધર્મનો વેશ્યા વિચાર ખૂબ વૈજ્ઞાનિક છે. તેનાથી મનુષ્યના ભાવજગતમાં વિવિધ સ્તરોનો વિચાર કરવામાં આવ્યો છે. આ વાત કેવળ જાણીને બેસી રહેવાનું નથી. અન્યના ભાવજગતને જાણીને તેની સાથેના આપણા વ્યવહારને યથાયોગ્ય રીતે ગોઠવી લેવાય તે તેનો ફાયદો છે જ. પણ તેથીય વિશેષ તો એ છે કે આપણે આપણા ભાવજગતને ઓળખી લઈએ. જો આપણે અશુભ લેગ્યામાં રમતા હોઈએ તો ધર્મ-ધ્યાન આદિની સહાય લઈને શુભ લેગ્યામાં આવી જઈએ. સાધક
જ્યારે એ લેશ્યાઓને પાર કરી જાય છે ત્યારે તે વીતરાગ બની જાય છે અને કૃતકૃત્ય થઈ જાય છે. જૈન ધર્મની રીતે કહીએ તો તેના જ્ઞાનની આડેનાં બધાં આવરણો દૂર થતાં
ભાવછાયાની પેલે પાર
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org