________________
પીત લેશ્યામાં હોય છે. પીત વેશ્યાનો રંગ ખુશનુમા પીળો હોય છે. તેને તેજોલેશ્યા પણ કહે છે. ધર્મની શરૂઆત અહીંથી થાય છે. તેજોવેશ્યાનાં લક્ષણો પ્રગતિનાં સોપાન જેવાં છે. આ જ ભાવ વધારે શુદ્ધ થતાં સ્વભાવ ત્યાગશીલ બની રહે, મનનાં પરિણામોમાં ભદ્રતા આવી જાય, વ્યવહાર પ્રમાણિક થઈ જાય, સંબંધોમાં સરળતા અને પારદર્શકતા આવે, અપરાધો પ્રતિ ક્ષમાનો ભાવ જાગે, સાધુઓ અને ગુરુજનો પ્રત્યે બહુમાન થાય અને તેમની સેવા કરવા જીવ તત્પર રહે. આ બધાં પા એટલે સુવર્ણ કમળ જેવી શ્વેત પણ આછી પીળી છાંય જેવી લેશ્યાનાં લક્ષણો છે. ત્યાર પછીની ચરમ લેશ્યા એ શુક્લ લેશ્યા છે. શુક્લ એટલે શ્વેત-ઉજ્જવળ. તેમાં સત્યનો સ્વીકાર હોય છે, પક્ષપાતરહિતતા હોય છે, ધર્મ અને ગુરુજનો પ્રત્યે સમર્પણનો ભાવ હોય છે. રાગ-દ્વેષનાં પરિણામો તો અત્યંત મંદ પડી ગયાં હોય છે. આ વેશ્યા જેનામાં પ્રવર્તતી હોય તેનું ચિત્ત શાન્ત, સ્થિર અને પ્રસન્ન હોય છે.
રાગ અને દ્વેષ રંગીન પરમાણુઓને ગ્રહણ કરે છે તેથી લેશ્યાઓને રંગ હોય છે. લેશ્યા તો ભાવે અને રંગનું વિજ્ઞાન છે. પતંજલિના યોગશાસ્ત્રમાં વેશ્યાઓને મળતું છ ચક્રોનું વર્ણન જોવા મળે છે તે પણ સરખાવવા જેવું છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞાચક્ર એમ છ સૂક્ષ્મ ચક્રો માનવદેહમાં રહેલાં છે. જેમ જેમ જીવના ભાવો શુદ્ધ થતા જાય તેમ તેમ તેની પ્રાણધારા નીચેનાં ચક્રોને ભેદીને ઉપર તરફ જતી જાય છે. જ્યારે આ પ્રાણધારા આજ્ઞાચક્રમાં સ્થિત થઈ જાય છે ત્યારે સાધક લગભગ સ્વાધીન અવસ્થામાં આવી
જૈન ધર્મનું હાર્દ
૧૦ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org