SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે ક્યારેય એકલા રહી શકતા નથી. અન્ય સાથેના સંબંધોની વચ્ચે આપણે જીવીએ છીએ. જો આપણે અન્યની ભાવછાયાને ઓળખતાં શીખી જઈએ તો આપણે આપણા સંબંધોમાં ફેરફાર કરી શકીએ. મિલન ભાવછાયાવાળાથી દૂર રહીએ કે સાવધ રહીએ. શુભ ભાવછાયા આધ્યાત્મિક જગતમાં તેમજ વ્યવહાર જગતમાં પણ ઘણી માર્ગદર્શક બની રહે છે. જે માણસની અંતરશુદ્ધિ થયેલી હોય છે તે તો સરળતાથી ભાવછાયાને વર્તી શકે છે. માણસનાં બાહ્ય લક્ષણો ઉપરથી પણ તેની ભાવછાયાનો અંદાજ કાઢી શકાય છે. ધર્મ ઉપર જેને શ્રદ્ધા ન હોય, દિલમાં દયા-માયા જેવું કંઈ ન હોય, સ્વભાવ દુષ્ટ અને ઘાતકી હોય તો સમજવું કે માણસમાં કૃષ્ણ કે કાળી લેશ્યા પ્રવર્તે છે. ઘોર અજ્ઞાન, બુદ્ધિહીનતા, આળસ અને વિષયોની લોલુપતા નીલ એટલે ગાઢા ભૂરા રંગની લેશ્યાનાં લક્ષણો છે. જલ્દીથી ગુસ્સો આવી જાય, બીજાની નિંદામાં રસ પડે, અન્યનો દોષ જોવાની વૃત્તિ, અતિશોકાકુલ બની જવું, અત્યંત ભયભીત થઈ જવું ઇત્યાદિ કપોત એટલે કે કબૂતરના રંગ જેવી લેશ્યાનાં લક્ષણો છે. સામાન્ય રીતે મોટા ભાગના લોકો આ ત્રણેય લેશ્યાઓ વચ્ચે ઝોલાં ખાતા હોય છે. માણસ સતત એક જ લેશ્યામાં નથી રહેતો. લેશ્યા પણ ભાવની ચઢઊતર સાથે બદલાતી રહે છે. મનુષ્યને મન અને બુદ્ધિ મળેલાં છે. તેણે વિચાર કરીને આ ત્રણેય લેશ્યાઓની ઉપર ઊઠવાનું છે અને આગળ વધવાનું છે. તે માટે હવે આપણે આગળની ત્રણ લેશ્યાઓનાં લક્ષણો જોઈએ. સારા-નરસાનો વિવેક, સમભાવ, દયા, દાન વગેરે વૃત્તિઓ ભાવછાયાની પેલે પાર Jain Education International For Private & Personal Use Only ૧૦૧ www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy