SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણની અવગણના નથી કરવાની હોતી; પણ ત્યાં અંદરનો ભાવ ઘણો મહત્ત્વનો બની રહે છે. ભાવ સારો હોય તો આચરણની ક્ષતિ નભાવી લેવાય. દિલમાં ડંખ ન હોય તો કડવી વાણી પણ ઘણીવાર ચલાવી લેવાય છે. પણ જો અંદરનો ભાવ મેલો હોય તો તે ચલાવી ન લેવાય. વ્યવહારના જગતમાં પણ લોકો અંદરના ભાવને ગણે છે તો અધ્યાત્મના ક્ષેત્રમાં તો ભાવનું જ મૂલ્ય અંકાય છે. ભાવ મૂલ્યવાન છે એટલું . જ નહિ પણ તેના ઉપર માણસના વર્તમાન જીવનનો અને ભાવિ જન્મોનો આધાર રહેલો છે. આપણી અંદર જેવો ભાવ હોય છે તેવી છાયા રચાય છે. ભાવ એટલે રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષને રંગો છે. રાગ અને દ્વેષનાં પરિણામ જેટલાં તીવ્ર એટલી છાયા ગાઢા રંગની હોય છે. રંગોની દૃષ્ટિએ ભાવછાયાનું છ રંગોમાં વિભાગીકરણ કરવામાં આવે છે : કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ્મ અને શુક્લ. ભાવછાયા માટેનો પારિભાષિક શબ્દ લેશ્યા છે. આધ્યાત્મિક જગતમાં લેશ્માનું ઘણું મહત્ત્વ છે. કારણ કે તે જીવને પોતાનો જ સીધો પરિચય કરાવે છે. જીવ જાગ્રત હોય તો પોતાની ભાવછાયાને ઓળખીને, તેને બદલીને સારી બનાવવા કોશિશ કરી શકે. ભાવો પ્રમાણે છાયાના રંગો બદલાય છે તો તેથી ઊલટું પણ સાચું છે કે છાયા બદલાય તો ભાવ બદલાય. ધ્યાન દ્વારા છાયા બદલી શકાય. જીવ અનુપ્રેક્ષા કરીને પણ પોતાની છાયા બદલી શકે છે. આપણી ભાવછાયાને ઓળખવાનું જેટલું જરૂરી છે તેટલું જ અન્યની ભાવછાયાને જાણવાનું જરૂરી છે. સમસ્ત સંસાર, સંક્રમણનો સંસાર છે. જૈન ધર્મનું હાર્દ ૧૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy