________________
અંદર રહેલા ભાવો સાથે વધારે સંબંધ છે. માણસ સાવધ હોય તો તેની અંદર રહેલો ભાવ તેની વાણીમાં કદાચ ન ઊતરવા દે પણ છેવટે તો ઘટના ઘટીને રહેવાની અને પછી તો તે તેના સાચા સ્વરૂપે પરખાઈ જવાનો. માણસને સમાજમાં રહેવું છે તેથી તેણે સામાજિક મૂલ્યોને આધીન રહીને જીવવું પડે. એ જ રીતે કાયદાને આધીન રહીને પણ તેણે આચરણ રાખવું પડે. પણ અંદર તેના ઉપર રોક-ટોક રાખનાર તેના સિવાય અન્ય કોઈ નથી હોતું. આમ વર્તમાન જીવનમાં માણસ પોતાના બાહ્ય આચરણ અને અંદરના ભાવ વચ્ચેનું સંતુલન ગુમાવી બેઠો છે. માણસ જેટલો વધારે શિષ્ટ દેખાય તેટલું વધારે તેણે આ સંતુલન ગુમાવી દીધેલું હોય છે. જે લોકો પ્રકૃતિની વધારે નજીક હોય છે, સહજ જીવન જીવતા હોય છે તે મોટે ભાગે જેવા હોય તેવા દેખાઈ જાય છે. પણ આપણે બધા મોટે ભાગે કૃત્રિમ જીવન જીવીએ છીએ તેથી આપણી અંદરના ભાવ અને બહારના જીવન વચ્ચે ઘણો ફરક રહે છે.
આપણાં ક્રિયા અને કાર્ય આપણા તેમજ સૌના માટે મહત્ત્વનાં છે. પણ આપણી અંદરનું ભાવજગત અતિ મહત્ત્વનું છે. ભાવ કોઈને મારવાનો હોય તો પણ તે જ્યાં સુધી કૃત્ય ન બને ત્યાં સુધી કાનૂન તેની નોંધ લેતો નથી અને અદાલત તેની સજા ફરમાવતી નથી. કોઈના માટે દિલમાં કેટલાય રાગ હોય કે દ્વેષ હોય તો પણ જ્યાં સુધી તે વાણીમાં કે વર્તનમાં ન વહે ત્યાં સુધી સમાજ તેના ઉપર ધ્યાન આપતો નથી. આ છે આપણું વ્યવહારજગત. અધ્યાત્મ જગતમાં વાણી અને
ભાવછાયાની પેલે પાર
૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org