________________
૧૨ [
ભાવછાયાની પેલે પાર |
મનુષ્યની ક્રિયા અને પ્રતિક્રિયા ઉપર તેના જીવનનાં સુખ-શાન્તિ અને આબાદીનો આધાર રહેલો છે. જીવનમાં સારામાઠા પ્રસંગો તો ઉપસ્થિત થવાના પણ તે વખતે આપણે કેવી પ્રતિક્રિયા કરીએ છીએ તે આપણી અંદર રહેલા ભાવોની સૂચક હોય છે. માણસ બહાર દેખાય છે તેવો તે અંદર નથી હોતો. વાસ્તવિકતામાં તો માણસ જે અંદર છે તે બહાર ભાગ્યે જ દેખાવા દે છે. પરિણામે તે પોતે જ સતત એક પ્રકારની તાણનો અનુભવ કરે છે. જે લોકો અંદર અને બહાર જેટલા વધારે સરખા હોય છે તેટલી તેઓ ઓછી તાણ અનુભવે છે અને વધારે સ્વસ્થ રહે છે. આમ આજના યુગમાં માણસ અન્યને તો છેતરે છે પણ પોતાનેય છેતરે છે અને પરિણામે તે પોતે જ વધારે અસ્વસ્થ રહે છે. બહારના લોકો તો તમને ઓળખી જાય એટલે ખસી જાય પણ તમે પોતે તમારાથી દૂર જઈને
ક્યાં રહેશો ? અધ્યાત્મ તો યુગોથી અંદર અને બહારથી એકસરખા રહેવા કહેતું આવ્યું છે પણ હવે તો મનોવિજ્ઞાન પણ આ વાત ભારપૂર્વક દર્શાવી રહ્યું છે. માણસ પોતાના બાહ્ય આચરણનો અંદરની વાત સાથે સુમેળ સાધવા માંડશે એટલે તેનામાં સચ્ચાઈનું અવતરણ થવા જ લાગશે. અને સચ્ચાઈ પણ ધર્મની પૂર્વભૂમિકા નીવડી શકે છે.
બાહ્ય જગતમાં અને જીવનમાં ક્રિયા મહત્ત્વની છે. માણસ શું કરે છે, તેનું આચરણ કેવું છે, તે કેમ બોલે છે, તે કેમ વર્તે છે તે વાત મહત્ત્વની છે. અધ્યાત્મ જગતને મનુષ્યની ૯૮
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org