________________
કરે છે ? ખાલી ભ્રમમાં રહેવું નહિ. પુણ્ય પણ તારું છે અને પાપ પણ તારું છે. તું જે છે કે જે નથી એ માટે તું જ જવાબદાર છે અને કોઈ તને બચાવનાર નથી. બચવાનું તારે જ છે. તે માટે પ્રયાસ તારે જ કરવો પડશે. તરવાનું તારે જ છે માટે બાવડામાં બળ પૂરી, હોડી હંકારીશ તો પાર ઊતરી જઈશ.
ભગવાન મહાવીરનો સંદેશ છે કે કોઈ કોઈને શરણ આપી શકતું નથી. હું અનાથ છે, તું અશરણ છે.
ભગવાન આ બાબત ઘણા સ્પષ્ટ રહ્યા છે. તેમણે ખોટું આશ્વાસન આપ્યું નથી. તેમણે માણસને અનાથ બનાવી-ગણાવી તેના ઉપર જ સઘળી જવાબદારીનો ભાર મૂકી તેને વાસ્તવિકતામાં ખૂબ સબળ બનાવી દીધો છે. જેણે અશરણ ભાવના પચાવી હોય તે પળનોય પ્રમાદ કર્યા વિના પોતાના જીવનને ઘડવા માટે તત્પર બની જશે.
ત્યાર પછીની બે ભાવનાઓ છે એકત્વ અને અન્યત્વ. આ બન્ને ભાવનાઓ ખેડાયેલી જમીનમાં બીજારોપણ કરવા સમી છે. એકત્વનો અર્થ કે હું એકલો જ છું. હર્યાભર્યા સંસારમાં કોઈ મારું નથી. હું એકલો જ આવ્યો છું અને એકલો જ જવાનો છું. જતી વખતે મને કોઈ સાથ નહિ આપે. બધાં સ્મશાન સુધી વળાવવા આવશે પણ તેની આગળ કોઈ આવી શકનાર નથી. જીવ એકલો છે તે એક ભીષણ વાસ્તવિકતા છે જે સ્વીકારવા મનુષ્ય તૈયાર હોતો નથી કારણ કે તેને સંબંધોની હૂંફમાં લપાઈ જવું ગમે છે. પણ જ્યારે સંબંધો સરવા માંડે છે અને માણસને પોતાના એકલવાયાપણાનો
ભાવનાયોગ
Jain Education International
For Private & Personal Use Only
૧૧૧
www.jainelibrary.org