________________
કરવામાં જ મનમાં પડેલી ગાંઠ લગભગ ઊકલી જાય છે. છેલ્લે ગુરુ પ્રાયશ્ચિત્ત આપે તે કરતાં કરતાં અંદર પડેલી રહીસહી ગૂંચ પણ ઊકલી જાય છે. પ્રાયશ્ચિત્તની અંતર્ગત ઑટો સજેશનની પણ પ્રક્રિયા થતી જ રહે છે જે ખૂબ ઉપકારક નીવડે છે.
1 ખિસ્તી ધર્મમાં શલ્ય ચિકિત્સા કન્વેશન–કબૂલાત-ના સ્વરૂપે જોવા મળે છે. ઈશુની સાક્ષીએ માણસ પોતાનાં પાપની કબૂલાત કરે છે અને પરમાત્મા પાસે માફીની યાચના કરે છે. આવી કબૂલાતથી માણસ તનાવમુક્ત થઈ જાય છે અને આગળનું જીવન સ્વસ્થતાપૂર્વક જીવી શકે છે.
હિંદુઓમાં ગંગા, જમના કે ગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરી પાપથી મુક્ત થવાની વાત કરવામાં આવે છે. તીર્થક્ષેત્રો પાસે વહેતી નદીઓનાં શીતળ જળમાં ડૂબકી મારીને માણસ પોતાનાં પાપ ધોવાઈ ગયાં એમ માની હળવો ફૂલ થઈને બહાર આવે છે. નદીઓનાં જળ, પાપ ધોતાં હશે કે નહિ તે વાતને અલગ રાખીએ તો પણ તે સમયે મનુષ્યના દિલમાં જે ભાવધારા ઊછળે છે તેમાં તો તેનાં પાપને દૂર કરવાની તાકાત હોય જ છે. પાપ દૂર કરવાની વાત એ મનમાં પડેલા શલ્યને દૂર કરવાની વાત છે.
આ સદીના પ્રખર મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રોઈડે પણ આવી જ વાત જુદા ઢંગથી કરી છે. તેમણે એ વાતનું પ્રતિપાદન કર્યું કે મનુષ્યના અચેતન મનમાં પડેલ વિચાર કે સંસ્કારની મનુષ્યનાં વાણી કે વર્તન ઉપર અસર થયા વિના રહેતી નથી. તેથી મનુષ્યને સ્વસ્થ કરવો હોય તો તેના મનની અંદર અને ૯૬
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org