________________
પારિભાષિક સંદર્ભમાં વપરાયેલા છે. પણ તે સરળતાથી સમજી શકાય તેવા છે. જે વસ્તુ કે વાત જે સ્વરૂપે છે તે સ્વરૂપે ન જાણવી તેને મિથ્યાત્વ કહે છે. એટલે કે વાત જે હોય તેના કરતાં વિપરીત ભાસે. દેખાય છે નાની વાત પણ છે ખૂબ મહત્ત્વની. આપણે આ જીવન તો શું પણ અનેક ભાવિ જન્મોમાં મળનારા જીવનને પણ આ શલ્યને લીધે હારી બેસીએ છીએ. મૂળ પાયામાં જ જે વાત ખોટી ધરબાઈ હોય ત્યાં તેના ઉપર ચણેલી ઇમારત કેટલી ટકે ? સાંસારિક સંબંધોમાં
પણ આ વાત ખૂબ મહત્ત્વની બની રહે છે. માયાને બીજું શલ્ય કહે છે. માયા એટલે કપટ. બહાર કંઈ બતાવીએ અને અંદર બીજું કંઈ હોય તે માયા શલ્ય છે. નિયાણું તો સવિશેષ જૈન પારિભાષિક શબ્દ છે. જે વસ્તુ આપણને મળતી નથી, જે વાત આપણે હાંસલ નથી કરી શક્યા પણ તે મેળવવા આપણી ઝંખના એટલી તો ઉત્કૃષ્ટ છે કે આપણે આ જન્મની આપણી પુણ્ય સમૃદ્ધિને હોડમાં મૂકીને, હવે પછીના ભવમાં તે વસ્તુની પ્રાપ્તિ માટેનો સંકલ્પ કરીએ છીએ. આ છે નિયાણું. શલ્ય માત્ર વાસના રૂપે આપણા મનમાં ઊતરી જાય છે. અચેતન મનમાં ધરબાયેલી આવી વાસનાઓ નિમિત્ત મળતાં બહાર ઊભરાઈ આવે છે અને માણસ શું ને શું કરી બેસે છે. મનમાંથી શલ્ય દૂર કર્યા સિવાય સુખ અને શાન્તિ મળતાં નથી અને કલ્યાણકારી ભાવિનું ઘડતર થઈ શકતું નથી.
આવા શલ્યને દૂર કરવા માટે જૈન ધર્મમાં ગુરુ પાસે જઈને પોતાના શલ્યનું નિવેદન કરવાની ભલામણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ મનોવૈજ્ઞાનિક છે. ગુરુ પાસે નિવેદન
શલ્યચિકિત્સા
Jain Education International
For Private & Personal Use Only
૯૫
www.jainelibrary.org