SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧] શલ્યચિકિત્સા આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધવાની જેને તમન્ના હોય તેણે મનમાં રહેલા શલ્યને સૌ પ્રથમ દૂર કરવું જોઈએ. શલ્ય એટલે કાંટો. પગમાં કાંટો ખૂંપી ગયો હોય તો જેમ માણસ તેને કાઢ્યા વિના ઝાઝું ચાલી શકતો નથી તેમ અધ્યાત્મના માર્ગ ઉપર આગળ વધવા માટે મનમાં રહેલા શલ્યને - કાંટાને દૂર કર્યા વિના ખાસ આગળ વધી શકાતું નથી. અધ્યાત્મના ક્ષેત્રમાં તો શું પણ સંસારની બાબતોમાં પણ શલ્યને દૂર કરવાથી ઘણાં સુખ-શાન્તિ મળે છે. કાંટા સાથે ચાલવાથી પીડા થાય છે એટલું જ નહિ પણ આગળ ઉપર તે જગા પાકવા લાગે છે અને છેવટે તેમાંથી પાચ-પરૂ ઊભરાય છે. જો તેની પણ અવગણના કરવામાં આવે તો એ ચેપ-સડો ધીમે ધીમે શરીરમાં આગળ વધે છે. એ જ રીતે મનમાં પેસી ગયેલો કાંટો સમયસર કાઢી નાખવામાં ન આવે તો તે મનને રુણ બનાવી દે છે અને છેવટે તેની અસરો શરીર ઉપર વર્તાય છે. મનમાં શલ્ય રાખીને જીવનાર વ્યક્તિના પારસ્પરિક સંબંધો પણ વિષમય બની જાય છે અને તેવી વ્યક્તિ એક પ્રકારના તનાવમાં જ સતત જીવ્યા કરે છે. આમ જોઈએ તો ઘણા બધા ધર્મોએ શલ્યચિકિત્સાની વાત કરી છે પણ જૈન ધર્મે તેના ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે અને તેનું વૈજ્ઞાનિક ઢંગથી વિશ્લેષણ કરેલું છે. જૈન ધર્મમાં શલ્યના ત્રણ પ્રકાર ગણાવવામાં આવ્યા છે : મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્ય. આ ત્રણેય શબ્દો આમ તો ૯૪ જૈન ધર્મનું હાર્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy