________________
થાય એ વાત તો આ સમિતિની અંતર્ગત આવી જ જાય છે. પણ એટલા પૂરતી આ સમિતિ મર્યાદિત નથી. જીવન માટે આવશ્યક હોય એટલી વસ્તુઓનું સંપાદન કરવું અને જે કંઈ સંપન્ન થયું હોય તેનો વિવેકપૂર્વક સવ્યય કરવો તે આ સમિતિની સૂક્ષ્મ વાત છે.
છેલ્લી પાંચમી સમિતિ છે ઉત્સર્ગ અંગેની નિહાર વિશેની. આમાં મળ પરઠવાની એકલી સ્થૂળ ક્રિયા જ સમજવાની નથી. આપણી પાંચેય ઇન્દ્રિયો સતત નિહાર કરી રહી હોય છે. આપણે સતત આહાર લઈએ છીએ. આહાર બહારથી આવે છે. બહારથી જ આવે છે તેને બહાર કાઢવું જ પડે છે. શ્વાસ બહાર નીકળે છે, શબ્દ બહાર પડે છે, અન્નજળ અંદર ગયા પછી કચરો થઈને મળરૂપે બહાર પડે છે. તેમ જે જોયું, જે સાંભળ્યું જે ખાવું-પીધું, જે સુંબું અને જે સ્પર્શસુખ માણ્યું તે બહાર આવ્યા વિના રહેતું જ નથી. આ બધું બહાર મૂકતી વખતે કોઈને પણ પીડા ન થાય, કોઈનેય હાનિ ન થાય તે રીતે બહાર મૂકો. આપણા સ્પર્શમાં પણ આપણી ઊર્જા બહાર વહે છે. કોઈની સાથે હાથ મિલાવ્યો પણ મનમાં અંદર દુર્ભાવ રાખ્યો તો તે ઊર્જા પણ સામી વ્યક્તિને ક્ષુબ્ધ કરી મૂકશે. તમારી નજર પણ કોઈને વીંધી નાખશે કે કોઈને પીડા કરશે. તમારો શ્વાસ-ઉચ્છવાસ પણ કોઈને તકલીફ આપશે. તમારો કોઈ પણ નિહાર, કોઈ પણ પ્રકારનો મળ કોઈ જીવને હાનિ ન કરે એટલી જ વાત આ સમિતિમાં નથી. પણ કોઈનેય તમારો નિહાર અશુભમાં જોડનાર ન બને, અશુદ્ધિ ન કરી દે તેનો ખ્યાલ રાખવાની વાત મહત્ત્વની છે. આપણી પાંચેય
જૈન ધર્મનું હાર્દ
' ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org