________________
ઇન્દ્રિયો સતત કંઈ બહાર કાઢ્યા જ કરે છે. પાંચેય ઇન્દ્રિયો દ્વારા તમારી ઊર્જા સતત બહાર વહે છે. આપણી વાસના, આપણી હિંસા આપણા પ્રત્યેક ઉત્સર્ગમાં નીકળે છે. તેથી તેને ઊખરભૂમિમાં ભંડારી દો જેથી તેનો વિસ્તાર ન વધે અને કોઈને પણ તે શારીરિક, માનસિક કે ભાવનાત્મક રીતે દુઃખનું કારણ ન બને.
જયણા એટલે કોઈપણ જીવની વિરાધના ન થાય, કોઈ પણ જીવને દુઃખ ન થાય - તે સમિતિનો દેહ છે. પણ કોઈ જીવ તમારા નિમિત્તે, તમારા અસ્તિત્વને કારણે અશુભમાં ન પ્રવર્તે, અશુદ્ધમાં ન જોડાય, તેના આત્માનું અહિત ન થાય તે વાત પાંચ સમિતિનું હાર્દ છે. ત્રણ ગુપ્તિ ઃ
ગુણિ એટલે ગોપવવું-સંકોચવું. જૈન ધર્મમાં ત્રણ ગુપ્તિની વાત કરવામાં આવી છે. જે આ ત્રણ ગુપ્તિ સાધી લે તે સાધનાપથ ઉપર કેટલોય આગળ વધી જાય છે. ગુણિને સરળ ન માનશો. જૈન ધર્મ એ સંયમ ધર્મ છે અને સંયમ એટલે ગુપ્તિની આરાધના. ગુણિઓ ત્રણ ગણાવી છે : મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. મન હંમેશાં કૂદકા મારે છે. ઘડીમાં મન ભાવિમાં ભૂસકો મારે છે તો ઘડીમાં તે ભૂતકાળને ફંફોસી નાખે છે. પણ જયાં ઊભું છે તે વર્તમાનમાં મન બહુ ઓછું રહે છે. વર્તમાન એ સત્ય છે. ભાવિ તો આવેય ખરું અને ન પણ આવે. ભૂતકાળ તો ગયો. તેમાંથી બોધ લઈ લીધો હોય તો પછી તેનું મૂલ્ય ખાલી ખોખાથી કંઈ વધારે નથી. મનોગુપ્તિનું સૂત્ર છે વર્તમાનને પકડો - વર્તમાનમાં જીવો એટલે કે સમયમાં
સજગતા અને સાધના
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org