SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પ્રાધાન્ય આપતા તેમણે પાર્થિવ, જલીય, તેજસ અને વાયવીય સૃષ્ટિના રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, દ્રવત્વ આદિ ગુણા તરફ મુખ્ય ધ્યાન આપ્યું. તેમણે કાય કારણના અને સાદશ્યના સિદ્ધાન્ત તે સ્વીકાર્યાં, પણ તેમને ઉક્ત રૂપ, રસ આદિ ગુણાની સ્થૂલ ભૂતમાં થતી અનુભૂતિના ખુલાસે તેનાં કારણોમાંથી મેળવવા હતા. એટલે તેએ દેશ્ય સ્થૂલ ભૂતાનાં કારણેાને પણ સમાન ગુણવાળા જ માની કારણપરંપરાની શેધમાં આગળ વધ્યા. સ્થૂલ પાર્થિવ વસ્તુમાં જે ગુણા અનુભવાય છે તે તેના કારણમાં પણ હાવા જ જોઈ એ. અને કારણુ એ તે કાર્યથી સૂક્ષ્મ હોવાનું. આ રીતે વિચારતાં તેઓ છેવટે એ નિષ્કર્ષ પર આવ્યા કે પાર્થિવનાં અંતિમ કારણેા પાર્થિવ જ હાય અને જલીય, તેજસ અને વાયવીય સૃષ્ટિનાં મૂળ કારણા પણ તે તે તત્ત્વની જાતિનાં જ હાવાં જોઈએ. આ અન્તિમ મૂળ કારણ તરીકે તેમણે જે ભૂતતત્ત્વા પ્યાં તે પરમાણુસ્વરૂપ કલ્પ્યાં. એટલે પરમાણુની સૂક્ષ્મતા એ અંતિમ અને તેને આગળ વિભાગ પણ નથી થતા. આ રીતે અનેક જાતિના તદ્દન પરસ્પરવિલક્ષણ એવાં અનન્તાનંત પાર્થિવ, જલીય, તેજસ અને વાયવીય પરમાણુઓને આધારે તેમણે કાર્ય જગતની ઉપત્તિ કરી. કારણ ગમે તેટલું સૂક્ષ્મ હાય પણ તે બીજા સજાતીય સૂક્ષ્મ કારણેાના સાગથી ક્રમે ક્રમે સ્થૂલ, સ્થૂલતર કાર્યાં આરંભે છે એમ માની તેમણે આરભવાદ સ્થાપ્યા. એટલે કે એ પરમાણુઓના સચાગથી એક નવું ઢંચણુક દ્રવ્ય ઉદ્દભવે, જે કારણભૂત એ પરમાણુએથી જુદું છતાં તેને વ્યાપીને રહે છે. આ રીતે ત્રણ ચણુકમાંથી એક શ્રૃણુક અને ચાર વ્યણકમાંથી એક ચતુરણુક—એ ક્રમે તેઓએ પ ત, નદી, સૂય આદિ સ્થૂલ સૃષ્ટિની રચના ગોઠવી. આ વાદની પરિણામવાદથી ભિન્નતા એ છે કે પિરણામવાદ મૂળ કારણમાં જ બધાં ક્રમિક કાર્યોનું અસ્તિત્વ સ્વીકારી એ કાર્યાં અનુક્રમે આવિર્ભાવ પામતાં જાય ત્યારેય તેમાં મૂળ કારણને એતપ્રેત માને છે; અને આ આવિાવ પામનાર કાર્યા, એ કાઈ તદ્દન નવાં અસ્તિત્વમાં નથી આવતાં, પણ અવ્યક્ત રૂપે કારણમાં હતાં તે જ નિમિત્ત આદિની અનુકૂળતા પ્રાપ્ત થતાં દૃશ્ય અને છે; જ્યારે આરભવાદમાં બધાં જ કાર્યા કારણથી તદ્દન ભિન્ન અને નવાં જ ઉત્પન્ન થતાં મનાય છે. એટલે તે તે જાતિના અનંતાનંત પરમાણુએ પેાતાની મૂળ સ્થિતિમાં જેવાં ને તેવાં રહીને પાતામાંથી જ સામગ્રીને ખળે પેાતાનાં જેવાં અસંખ્ય કાર્યાં નવાં જ આરંભે છે. આરંભવાદમાં કાય કારણને સવ થા ભેદ છે; જ્યારે પરિણામવાદમાં અભેદનું પ્રાધાન્ય છે. આરભવાદમાં પાર્થિવ કાર્યનાં ૧. સારળવજિત્યમ્ । તચાર્ય હ્રિામ્।ાળામાવાતાર્યામવઃ । પ્રશસ્તવામઘ્યની સૃષ્ટિસંહારપ્રક્રિયામાં આ વાકયા જુએ : ततः प्रविभक्ताः परमाणवोऽवतिष्ठन्ते । एवं समुत्पन्नेषु चतुर्षु महाभूतेषु । Jain Education International વૈરોષિર્શન. ૨.૩.૧-૨, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy