SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સર્વ વ્યાપી, પરિણામી દ્રવ્ય ભલે હોય, પણ છેવટે તે તે સહજ ચેતના અને આનન્દહીન છે, અને માત્ર અચેતન સત્ત્વ-રજ-તમસ ગુણને સમુદાય છે. તે એમાંથી ચેતન એવા સર્વથા વિલક્ષણ જ્ઞાતા ભાક્તાને ઉદ્દભવ કેવી રીતે સંભવે ? આ પ્રશ્નને તેમને એક એવું મૂળ તત્ત્વ માનવા પ્રેર્યા કે જે સત્, ચિત્ અને આનન્દ એમ ત્રિરૂપ હોય. ચાવીસ તત્ત્વવાદી સાંખ્યે સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ અશવાળી પ્રકૃતિને મૂળ માની લીધું હતું; તે આ નવા પ્રસ્થાને એના સ્થાનમાં સત્ ચિત્ અને આનંદ એવા ત્રણ અંશવાળું ચેતનતત્ત્વ મૂળ કારણ તરીકે કહ્યું. અસ્તિત્વ-અંશ અને માન્યતામાં સમાન છે. ફેર છે તે એટલે જ કે પ્રથમ માન્યતામાં સત્ત્વગુણુ જ્ઞાન, સુખ આદિ અનુભવરૂપે પરિણમે છે; એથી કઈ જુદી ચેતના યા આનંદ નથી; ત્યારે બીજી માન્યતામાં ચેતના અને આનંદ-અંશ સહજ છે. તેમાંથી જ જ્ઞાન, સુખ, દુઃખ આદિ પરિણામે આવિર્ભાવ પામે છે. જ્યારે આવું સચ્ચિદાનંદરૂપ મૂળ તત્ત્વ કલ્પાયું ત્યારે ચિન્તકોએ એ તત્ત્વને જ પ્રધાન યા પ્રકૃતિની પેઠે પરિણામી માની એમાંથી સહજ શક્તિને મળે જ્ઞાતા ભાક્તા જીવ અને જ્ઞેય-ભાગ્ય જડ જગત–એ બન્નેની ઉત્પત્તિ ઘટાવી. આ રીતે મૂળ કારણ પ્રકૃતિને બદલે એક બીજી' મૂળ કારણ કલ્પાયું. એને બ્રહ્મતત્ત્વ પણ કહે છે અને નારાયણ આદિ રૂપે પણ ઓળખાવે છે. આ વિચારસરણી મહાભારતમાં તેા છે જ, પણ ગીતામાંય છે. મહાભારતમાં જ્યાં છવ્વીસ તત્ત્વવાદી સાંખ્યપર પરાનુ વર્ણન આવે છે ત્યાં આ માન્યતા સ્પષ્ટ છે. એમ લાગે છે કે બ્રહ્મ, નારાયણ યા સચ્ચિદાનંદરૂપ મૂળ તત્ત્વને આધારે જે વિચારસરણી જન્મી તે એાધાયન આદિ આચાર્યાની પરપરામાં સચવાઈ અને વિકસી. એ બ્રહ્મતત્ત્વ એવું છે કે જે એક તરફથી ત્રિગુણાત્મક પ્રકૃતિનું પણ પ્રભવસ્થાન છે અને સાથે જ જ્ઞાતા-ભાક્તા જીવનું પણ પ્રભવસ્થાન છે. આ રીતે એ બ્રહ્મવાદીઓને મતે બ્રહ્મના જે પ્રધાનાત્મક પરિણામ છે, તે જ અચેતન વિશ્વકેટિમાં આવે છે. આ પરિણામી બ્રહ્મવાદ કાળક્રમે જુદી જુદી પર પરાએમાં કાંઈક ને કાંઈક ભિન્ન ભિન્ન રૂપે નિરૂપાતા રહ્યો છે; જેમ કે સેાપાધિક બ્રહ્મવાદ, વિશિષ્ટાદ્વૈત બ્રહ્મવાદ, યા શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. આ બધા વાદોમાં મૂળ તત્ત્વ તે એક જ છે, પણ તે પરિણામી હેાઈ તેમાંથી બધું વૈવિધ્ય ઘટાવાય છે. જગતના સ્વરૂપ અને કારણ વિશે વૈશેષિક દૃષ્ટિ આ મૂળ એક તત્ત્વની શેાધના વિચારપ્રવાહનું ટૂંકું' નિરૂપણ થયું.' હવે આપણે મૂળ બહુતત્ત્વવાદી શોધ તરફ વળીએ. જે વિચારકા ખાહ્ય ઇન્દ્રિયાના અનુભવને ૧. વિવિધ કાર્યો ઉપરથી સાદશ્યના સિદ્ધાંતને આધારે મૂળ એક કારણને શોધવાની પ્રક્રિયા સાંખ્યકારિકામાં સ્પષ્ટ છે. જુએ, સાંખ્યકારિકા ૮ થી ૧૬ સુધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy