SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છે, જેને લીધે તે એક જ તત્ત્વ, વટબીજ મહાન વૃક્ષને સાકાર કરે તેમ, વિશ્વરૂપ જગતને, કેઈ બીજાની પ્રેરણા સિવાય જ, સ્વયંભૂ શક્તિથી આકાર આપે છે. તેની એવી શક્તિ છે કે ક્યારેક તે સર્વ પ્રધાન બુદ્ધિનું રૂપ ધારણ કરી સુખ-દુઃખ આદિ ભાવને અનુભવ કરે છે અને વળી તે જ અન્ય અવસ્થા પામી એ અનુભવનું ઉપકરણ બને છે. તો વળી તે જ તત્ત્વ તેમની પ્રધાનતાથી ગ્રાહ્ય-વિષયરૂપે પણ પરિણમે છે. આ રીતે તે વિચારકે એ એક જ મૂળ કારણની અન્તર્ગત નાના શક્તિઓને આધારે સમગ્ર વિશ્વને ખુલાસે કર્યો, પણ તેમને એ પ્રશ્નનો જવાબ તે આપે જ હતું કે જે વિશ્વરૂપ જગત એક કારણમાંથી સાકાર થતું હોય તે એમાં કમવિપર્યાસ કેમ નથી થતો ? પાછળ થનાર પરિણામ પ્રથમ, અને પ્રથમ થનાર પાછળ કેમ ન થાય ? આને ઉત્તર તેમણે એ મૂળ તત્ત્વમાં કાળશક્તિ યા કમનિયમ માનીને આવે છે. તેમણે કહ્યું છે કે એ મૂળ કારણની પરિણામશક્તિ એવી છે કે તે કમનું કદી ઉલ્લંઘન કરતી નથી. અને જેમ જેમ તે સ્થળ પરિણામ ધારણ કરે છે તેમ તેમ તે પરિણામોનાં સ્થિતિ અને વિસ્તાર ઘટે છે જ્યારે સૂકમ અને સૂક્ષ્મતમ પરિણામ ધારણ કરે છે ત્યારે તેની સ્થિતિ અને વિસ્તાર લંબાય છે. એટલું જ નહિ, પણ અનંતાનંત નવનવાં પરિણામરૂપે વિકસવા અને વ્યક્ત થવા છતાં તે મૂળ તત્ત્વ અખૂટ અને અનન્ત જ રહે છે. - આ વિચારસરણી સાંખ્યદન તરીકે જાણીતી છે. કપિલ એના આદિ-વિદ્વાન અને પરમર્ષિ ગણાય છે. આ વિચારસરણીનાં બીજકે ઉપનિષદોમાં તે છે જ, પણ મહાભારત, ચરક, પુરાણ, સ્મૃતિ અને અનેક કાવ્યમાંય એ અનેક રીતે ચર્ચાઈ છે. ગીતા તે એને આધારે જ રચાઈ છે. પાતંજલ યોગશાસ્ત્રની તે એ આધારશિલા છે જ, પણ હિરણ્યગર્ભની પ્રાચીન પરંપરાનીયે એ ભૂમિકા રહી છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે આ સાંખ્યવિચારસરણીએ અને તેને કેટલાક મૌલિક સિદ્ધાન્ત એ ભારતીય દર્શનના બહુ મોટા ભાગને આવરેલો છે–ભલે તેમાં બીજા સુધારા કે ઉમેરા થયા હોય. ઉપર જે ટૂંક વર્ણન કર્યું છે તે વીસ તત્ત્વવાદી સાંખ્ય પરંપરાને લક્ષી કર્યું છે. એને અનુસરી આપણે જોયું કે મૂળ કારણ, જે પ્રકૃતિ તરીકે જાણીતું છે. અને આગળ જતાં જેને પ્રધાન પણ કહેવામાં આવ્યું છે, તેમાંથી જ જ્ઞાતા–ભક્તા, જ્ઞાન અને ભેગનાં સાધને, તેમ જ ય અને ભોગ્ય વસ્તુઓ—એ બધું પરિણમે છે. જગતના સ્વરૂપ અને કારણ વિશે બ્રહ્મવાદી દ્રષ્ટિ પરંતુ મૂળ કારણને વિચાર ત્યાં જ નથી . કેટલાકને વિચાર આવ્યો કે વિભક્તોમાં અવિભક્ત, વિશેષમાં સામાન્ય, વ્યક્તિમાં અવ્યક્ત એવું ત્રિગુણાત્મક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy