SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે પાર્થિવ પરમાણુઓ જ છે, અને જળકાયના જળપરમાણુઓ, ઈત્યાદિ. વળી પાર્થિવ અનન્તાનન્ત પરમાણુઓ પણ પૃથ્વીરૂપે તુલ્ય જાતીય હોવા છતાં પરસ્પર અત્યન્ત વ્યાવૃત્ત છે, અને આ પાર્થિવ દ્રવ્યમાં સંભવે તેવા બધા ગુણ ધરાવતા હોય છે. આરંભવાદ પ્રમાણે પાર્થિવ, જલીય, તેજસ, વાયવીય એમ ચાતુભૌતિક અનન્તાનન્ત પરમાણુઓ જડ જગતનાં મૂળ કારણ મનાયાં અને સાથે જ આકાશ, દિશા, કાળ જેવાં નિત્ય તત્ત્વોને પણ જડ જગતમાં સ્થાન મળ્યું. આ વૈશેષિક માન્યતા થઈ, જે મૂળમાં અનેક તત્ત્વોને કારણ તરીકે માનનાર પરંપરાઓમાંને એક પ્રવાહ છે. જગતના સ્વરૂપ અને કારણ વિશે જૈન દૃષ્ટિ એ જ એક બીજે પણ વિચારપ્રવાહ છે, જે મૂળમાં અનેક તત્ત્વોને કારણ માની જગતનું સ્વરૂપ વિચારે છે. તે પ્રવાહ જૈન પરંપરા તરીકે જાણીતું છે. એ કહે છે કે અચેતન જગત મૂળ ચાર અસ્તિકાયરૂપ છે. તેમાં આકાશ તત્ત્વ તે એક જ છે, જેવું વૈશેષિક દર્શન સ્વીકારે છે; પણ મૂળ પરમાણુઓના સ્વરૂપની બાબતમાં તે પ્રવાહ વૈશેષિક દર્શનના આરંભવાદથી તદ્દન જુદે પડે છે. જૈન પરંપરા માને છે કે પરમાણુઓ અનન્તાનન્ત છે ખરા, પણ તેમાં પાર્થિવ, આખ્ય આદિ જે કઈ મૌલિક ભેદ નથી. ગમે તે પરમાણુ નિમિત્ત પ્રમાણે ગમે તે રૂપ ધારણ કરે. જે પરમાણુઓ એક વાર પાર્થિવ રૂપે પરિણામ પામ્યા હોય તે જ બીજી વાર સામગ્રી બદલાતાં જલીય તેજસ યા વાયવીય રૂપે પણ પરિણમે. એટલે પરમાણુઓમાં કઈ જાતિભેદ નથી. બીજી બાબત એ છે કે દરેક પરમાણુમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની શક્તિઓ સમાન છે; તે નિમિત્ત પ્રમાણે અનેક રૂપે પરિણમે એટલું જ. એમ નથી કે કોઈ એક પરમાણુમાં વર્ણ, ગઘ, રસ અને સ્પર્શની અમુક જ શક્તિ હોય ૧. જૈન પરંપરા ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય માને છે. તેનું કાર્ય ગતિમાં ઉપયોગી થવાનું છે, અને અધર્માસ્તિકાયનું કાર્ય સ્થિતિમાં ઉપયોગી થવાનું. આ બે કોની તુલના સાંખ્યસંમત પ્રધાનતત્ત્વનાં બે ઘટક સાથે કરી શકાય : રજોગુણ એ ચેલ હોઈ ગતિશીલ છે. તે પ્રાકૃત કાર્યોને ગતિમાં રાખે છે, જ્યારે તમોગુણ એ ગતિનું નિયન્ત્રણ કરે છે. (સાંખ્યકારિકા ૧૩.) આ સાથે વળી ઈશ્વરકૃષ્ણની– धर्मेण गमनमू गमनमधस्ताद्भवत्यधर्मेण । ज्ञानेन चापवर्गो विपर्ययादिष्यते बन्धः ॥ ४४ ।। આ કારિકા શબ્દદષ્ટિએ સરખાવવા જેવી છે. अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः : १ । द्रव्याणि जीवाश्च । २ । गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः : १७ । –તત્ત્વાર્થ વ્યાસ. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy