SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિધિ મૌલિક હતું. તેથી એક ઋષિએ તૈત્તિરીય ઉપનિષદમાં પ્રશ્ન કર્યો કે જે સર્વથા અસતુ યા નાસ્તિરૂપ હોય તેમાંથી સત્ કેવી રીતે જન્મે ? કાર્ય કારણથી વિરુદ્ધ ન હોઈ શકે. આ પ્રશ્નમાંથી બે એકાંતિક દષ્ટિઓને સમન્વયમાર્ગ પણ કોઈને સૂક્યો. તેણે કહ્યું કે અસત્ એટલે સર્વથા નાસ્તિરૂપ નહિ પણ નામરૂપસ્વભાવે અવ્યક્ત દશા, એટલું જ. તેમાંથી સત્ જન્મ એનો અર્થ એ વ્યક્ત થાય એટલે જ. આ બધા વિચારે ઉપનિષદોમાં જુદે જુદે સ્થાને નોંધાયા છે.' નાસદીયસૂક્તમાં જે અસત્ અને સને નિષેધ છે તે ઉપર સૂચવેલ પ્રાથમિક બે એકાન્તોને જ નિષેધ છે. પણ સૂક્તના પ્રણેતાનું મૂળ કારણનું સ્વરૂપ અવ્યક્ત ભાસે છે. તેથી જ તે અનેક વિધી કંઢોને નિષેધ કરી “ગાનીવાત' એ શબ્દમાં મૂળ કારણનું કુરણ સૂચવે છે અને એના સ્વરૂપને અન્ત પ્રશ્નરૂપે રજૂ કરે છે, જે એક રીતે અવ્યાકૃતને જ ભાવ સૂચવે છે. ટ્વેદના પહેલા મંડળમાં એક જ સત્તત્ત્વને અગ્નિ, આપ આદિ અનેક રૂપે વર્ણવનાર વિચારકોને નિર્દેશ છે. તે પણ એક સમન્વયમાર્ગ છે. જેમ સત્ અને અસત્ એ બે એકાન્તને, અવ્યક્ત, અને વ્યક્તરૂપે સમન્વય થયે, તેમ મૂળ કારણ તરીકે નિર્વિવાદ સ્વીકૃત થયેલ સત્તત્ત્વમાં પ્રથમથી જુદા જુદા પ્રવર્તમાન એવા વાયુ, આપ, અગ્નિ, આકાશ આદિ નામથી ચાલતા વિચારપ્રવાહને પણ સમન્વય થયે. ૧. અસહ્ના રૂમ પારિતુ . તતો હૈ સનાયત -તૈત્તિરીયોનિવર્. ૨.. नैवेह किंचनाग्र आसीत् , मृत्युनैवेदमावृतमासीत्-बृहदारण्यकोपनिषद्. १.२.१. असदेवेदमग्र आसीत् । तत् सदासीत् । तत् समभवत् । तदाण्डं निरवर्तत :છાયોનિવર્. રૂ.૧૧.૧. तक आहुरसदेवेदमग्र आसीदेकमेवाद्वितीयम् । तस्मादसतः सज्जायत । कुतस्तु खल सोम्यैवं स्यादिति होवाच कथमसतः सज्जायतेति । सत्त्वेव सोम्येदमग्र आसीदेकमेवाद्वितीयम् - છન્દોથોન. ૬૨. ૨. “સાક્ષાત કોણ જાણે છે ? અહીં કોણ કહેશે કે “ક્યાંથી આ જન્મી ? ક્યાંથી આ સર્જન થયું ? આના સર્જન પછી દેવ થયા. તેથી કોણ જાણે છે કે શેમાંથી (આ બધું) થયું ? જેમાંથી આ વિસૃષ્ટિ થઈ તેણે એ નિર્માણ કરી કે નહીં ? જે આને અધ્યક્ષ પરમ વ્યોમમાં છે તે જ જાણે છે, અથવા તે પણ ન જાણતા હોય !” -નાસચદૂર, આવે. ૧૦.૧૨.૬-છ. ૩. “g સદ્ વિઝા વહુધા વરિત – . ૧.૧૬૪.૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy