SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 33 સ્કન્ધ પણ કહ્યા. ધાતુને અર્થ પણ એ જ છે. જે વિશ્વને ધારે અને પશે તે ધાતુ–જેમ વાત-પિત્ત-કફ શરીરનાં ધારક અને પોષક હાઈ ધાતુ કહેવાય છે તેમ. કાયને અર્થ છે સંઘટિત સંસ્થાન. ઉક્ત ત વિશ્વનાં જુદાં જુદાં સંસ્થાને હાઈ કાય પણ કહેવાય છે. એ જ તો દેશ અને કાળના પટમાં અનુભવાતાં વિવિધ ગુણ અને ક્રિયાઓના દ્રવ-પ્રવાહવાળાં હોવાથી દ્રવ્ય પણ કહેવાય છે. આ રીતે જગત પાંચભૌતિક છે એ માન્યતા અસ્તિત્વમાં આવી. આ પાંચ ભૂતને નિર્દેશ ઉપનિષદોમાં છે, તેમ બૌદ્ધ અને જેન આદિ પ્રાચીન ગ્રન્થમાં પણ છે. પરંતુ જેમ જેમ શેપ આગળ વધતી ગઈ અને ઈન્દ્રિયગમ્ય સ્થૂળ ભૌતિક ઉપરથી સૂકમ કારણ તરફ વળી, તેમ તેમ પાંચભૌતિક માન્યતાને સંપ્રદાય એથી જુદો પડી ગયે. એ ત્યાં જ વિર અને સ્થાપવા લાગે કે પાંચ ભૂત સિવાય બીજું કશું નથી. આ મત બાહસ્પત્ય, લોકાયત, પૌરદર કે ચાર્વાક તરીકે જાણીતું છે. એમાં કાળક્રમે આકાશ સિવાયનાં ચાર ભૂત માનવાની એક પરંપરા પણ ચાલી છે. સૂક્ષ્મ કારણની શોધનાં પ્રસ્થાને જે ચિન્તકે માત્ર ઈન્દ્રિયગમ્ય તત્ત્વના વિચારમાં જ સંતુષ્ટ ન હતા, તેમણે એવાં તત્ત્વોનાં કારણની વિચારણા કરવા માંડી. તેમને જણાયું કે દશ્ય ભૌતિક તો ઉત્પન્ન થાય છે અને નાશ પણ પામે છે. જે વસ્તુ કાર્ય હોય તેનું કારણ હોવું જ જોઈએ, અને કારણથી વિરૂપ કાર્ય સંભવી ન શકે—એવા કાર્યકારણભાવના તેમ જ સદશ્યના સિદ્ધાન્તને અવલંબી તેમણે કારણમીમાંસા પ્રારંભી. તેમાંથી જેએ મુખ્યપણે વાયુતત્ત્વના સંસ્કારવાળા હતા, તેમણે વાયુરૂપે મૂળ કારણ માની તેમાંથી જ્ઞાતસૃષ્ટિ ઘટાવી. જેઓ વળી આપ=જળ યા તેજ = અગ્નિ તેમ જ આકાશતત્વના ઉપાસક હતા, તેમણે તે તે નામથી એક જ તત્ત્વને મૂળ કારણ માની પિતાની રીતે સૃષ્ટિ ઘટાવી. આમ મૂળ કારણની વિચારણનાં વિવિધ પ્રસ્થાને અસ્તિત્વમાં આવ્યાં. તેમાં બીજું એક ઉમેરાયું : કેઈએ વિચાર્યું કે દશ્ય જગત અસ્તિ છે તે તેનું કારણ સતુ–સદા–અસ્તિરૂપ હોવું જોઈએ. એ રીતે તેણે સરૂપે જ મૂળ કારણ નિરૂપ્યું; પણ કેઈએ વિચાર્યું હોવું જોઈએ કે જેમ દૃશ્યમાન વસ્તુઓ “નથી હોતી” અને છતાં તે અસ્તિત્વમાં આવે છે, તેમ એ મૂળ કારણ તરીકે કલ્પાતું સતત્ત્વ પણ અસતમાંથી જ કેમ ઉદ્ભવ્યું ન હોય ? એ પ્રશ્નને બીજા કેઈ વિચારકને એમ માનવા પ્રેર્યો કે મૂળ કારણ અસત્ અર્થાત્ નાસ્તિ હોવું જોઈએ. અત્યાર લગીનાં પ્રસ્થાનમાં સત્ અને અસત્ એ બે વિચારે તદ્દન પરસ્પરવિરોધી હતા; અને વિચારકોમાં પ્રવર્તતે ૧. જુઓ સામન્નપુર”માં અજિત કેસમ્બલીને મત; “સૂત્રતા ” ૧.૧,૧૭; મૃતાનિ શનિઃ – વેતાશ્વતરોપનિષદ્. ૧. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy