SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ અત્યાર લગીમાં દાર્શનિક ચિન્તન એટલું તે સ્થિર થયું કે દશ્યમાન વિશ્વનું મૂળ કારણ સત્ છે, તે માત્ર નાસ્તિરૂપ યા અભાવાત્મક હોઈ ન શકે–આ ભૂમિકા મૂળ બહુતત્ત્વવાદી પરંપરાઓમાં પણ સચવાઈ રહી છે. ન્યાય-વૈશેષિક સત્તાને શાશ્વત માને છે. અક્ષપાદ પણ અભાવના એકાન્તને નિષેધ છે. જૈન પરંપરા પણ મૂળ તત્ત્વને અસ્તિકાયરૂપે જ વર્ણવે છે. પરન્તુ ચિન્તકે મૂળ કારણ સદરૂપ છે એટલા વિચારથી જ ન સંતોષાયા. તેમને સહેજે પ્રશ્ન થાય કે મૂળ કારણ સત્ છે એ ખરું, તે અવ્યક્ત પણ ભલે હોય; છતાં એનું સ્વરૂપ તે કાંઈ તર્ક યા બુદ્ધિથી જાણવું અને ઘટાવવું જ જોઈએ. આ પ્રકને કઈ કપિલ જેવા ઋષિને એક રીતે પ્રેર્યો તે બીજા કેઈ ઋષિને બીજી રીતે પ્રેર્યો. અહીંથી મૂળ કારણના સ્વરૂપ પર પ્રવાહે ફંટાયા લાગે છે જેઓએ મુખ્યપણે બુદ્ધિ-સંવેદનને આધારે સ્કૂલ ભૌતિક તત્ત્વમાંથી મૂળ કારણની શેધ આદરી તેમને એક પ્રવાહ; અને જેઓએ મુખ્યપણે ઈન્દ્રિયાનુભવને આધારે મૂળ કારણના સ્વરૂપની વિચારણા કરી તે બીજે પ્રવાહ. જગતના સ્વરૂપ અને કારણ વિશે સાંખ્યદષ્ટિ ઋષિઓએ ઈન્દ્રિયથી થતે ભૌતિક તના રૂપ, રસ, ગ, સ્પર્શ આદિ ગુણોને વિવિધ અનુભવ તે સ્વીકાર્યો; પણ એ અનુભવમાંથી જે બુદ્ધિગત સુખ, દુઃખ અને મેહની પ્રતીતિ થાય છે તે પ્રતીતિને પ્રાધાન્ય આપી તેમણે વિચાર્યું તે તેઓને જણાયું કે અનુભવના વિષયે, અનુભવનાં ઉપકરણો અને અનુભવ કરનાર બુદ્ધિ એ બધું જ સુખ, દુઃખ ને મોહરૂપ છે. તેમાંથી કેઈએક એ ભાવથી મુક્ત હેય તે એવી પ્રતીતિ ન સંભવે. એક જ વસ્તુ જુદા જુદા દ્રષ્ટાઓને સુખ, દુઃખ યા મેહરૂપે અનુભવાય છે; એટલું જ નહિ, પણ એક જ દ્રષ્ટાને એક જ વસ્તુ કાળભેદે તેવી ૧. સામાન્યાવીનાં ત્રયાળાં સ્વાભસર, યુદ્ધક્ષાવૈ, તારગર્વ, સમાચવિશેષવર્ધ, નિત્યમ્, અર્થશાાનમિયá..... – રાસ્તાવિમર્થ, સાવચ્ચે- વૈર્યકાર लक्षणभेदादेषां द्रव्यगुणकर्मभ्यः पदार्थान्तरत्वं सिद्धम् । अत एव च नित्यत्वम् । –ગરાસ્તાવિમાષ્ય, સામાન્યRT. ૨. ન્યાયમૂત્ર. ૪.૧.૧૪ થી ૧૮. 3. अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः । द्रव्याणि जीवाश्च । नित्यावस्थितान्यरूपाणि । रूपिणः પુરા:”—તવાર્થ૦ ૬.૧-૪. सत्ता सव्वपयत्था सविस्सरुवा अगंतपज्जाया । भंगुष्पादधुवत्ता सपडिवखा हवदि एका ॥ –-પંજાતિવાચ. ૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy