SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક સ્થળોએ જુદે જુદે પ્રસંગે અનેક અર્થોમાં વપરાયેલે દેખાય છે, પણ ઉપર સૂચિત બે અર્થોમાં ઈતર અર્થોની છાયાને સંગ્રહ થઈ જાય છે. અહીં બ્રહ્મનો અર્થ મૂળ કારણ લઈએ અને યથાર્થતાને ભાવ કઈ પણ વસ્તુ યા ઘટનાની યથાવતું સ્થિતિ-મૂળ સાથે સંવાદી સ્થિતિ–લઈ એ તે પછી બીજા અર્થોને ભાવ સમજવાનું સહેલું બની જાય છે. તત્ત્વ અર્થના “મૂળ કારણ” અને “યથાર્થતા” એવા જે બે પ્રકારે (Ontological અને Epistemological) ફલિત થયા છે તે માનવીય જિજ્ઞાસાનું વલણ સૂચવે છે. પહેલેથી જ એ જિજ્ઞાસા વિશ્વની ઘટનાઓના મૂળ કારણને જાણવા અભિમુખ રહી છે. માનવબુદ્ધિના વિકાસને જે ઇતિહાસ એની કૃતિઓ ઉપરથી ફલિત થાય છે તે એક તત્ત્વવિદ્યા શબ્દથી જ સૂચવાય છે. એ વિકાસનું પહેલું સોપાન તે અવિદ્યા યા અજ્ઞાનને ગમે તે રીતે સામને કરે, એને નિવારવું યા ઓછું કરવું. બીજું સોપાન એટલે અજ્ઞાન નિવારી માત્ર જ્ઞાન મેળવવું એટલું જ નહિ, પણ મેળવેલું જ્ઞાન ભ્રમ અને સંશયથી પણ પર છે એવી ખાતરી કરવી તે. ત્રિીજું પાન એટલે માત્ર ઉપર ઉપરની હકીક્તમાં જ સન્તુષ્ટ ન રહેતાં એના કારણની ગષણ કરવી, અને ગષણ પણ અન્તિમ કારણ પર્યન્ત. - વિકાસનાં આ ત્રણ પાન યથાસંભવ સિદ્ધ કરવામાં અનેક યુગની અને અનેક સમ્મદાની અનેક વ્યક્તિઓના પુરુષાર્થને ફાળે છે. એના પ્રતીકરૂપે જે લગભગ ત્રણ હજાર વર્ષ જેટલું તે જૂ નું સાહિત્ય આપણી સામે છે તેને નિર્વિવાદ એક સૂર એ છે કે સત્ય જ શોધવું, સત્ય જ ચિન્તવવું, સત્ય જ બોલવું અને સત્ય જ આચરવું. સત્યનિષ્ઠા પ્રશ્નોપનિષદમાં છઠ્ઠો પ્રશ્ન પૂછનાર સુકેશ ભારદ્વાજ છે. તે પોતાના ગુરુ પિપ્પલાદને પિતાને પ્રશ્ન પૂછતી વખતે જે એક વાત કહે છે તે જિજ્ઞાસુના હૃદયમાં રહેલી સત્ય-ઝંખનાની દ્યોતક છે. સુકેશા ગુરુને કહે છે કે મારી પાસે એક વાર હિરણ્યનાભ કૌસલ્ય રાજપુત્ર આવ્યું અને મને પૂછયું કે તું ડિશકલ એવા પુરુષને જાણે છે? મેં એ રાજપુત્રને કહ્યું–હું નથી જાણતે. જે હું જાણતે હોત તે તને કેમ ન કહેત? જે જૂઠું બોલે છે તે મૂળમાંથી જ સુકાઈ જાય છે, નાશ પામે છે. આ સુકેશાએ રાજપુત્રને આપેલા જવાબમાં અજ્ઞાનની કબૂલાત १. अथ हैनं सुकेशा भारद्वाजः पप्रच्छ। भगवन्हिरण्यनाभः कौसल्यो राजपुत्रो मामुपेत्येतं प्रश्नमपृच्छत। षोडशकलं भारद्वाज पुरुषं वेत्थ ? तमहं कुमारमब्रुवं नाहमिमं वेद । यद्यहमिममवेदिषं कथं ते नावक्ष्यमिति । समूलो वा एष परिशुष्यति योऽनृतमभिवदति । तस्मान्नाम्यिनृतं वक्तुम् । स तूष्णीं रथामारुह्य प्रववाज । तं त्वां पृच्छामि क्वासौ पुरुष इति ॥ प्रश्नोपनिषद्, षष्ठ प्रश्न. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy