SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર નને માટે કે પાણીને માટે આવી ઉભા ડેાય તા તેને એળગીને ગૃહમાં પ્રવેશ ન કરે. તેમજ તેમની દ્રષ્ટિ પડે તેવા સ્થાને ઉભેા પણ ન રહે. પરંતુ એકાંતમાં (એક બાજુ) જને જ ઉભે! રહે. [૧૨] કારણકે તેમ કરવાથી તે ભિખારી કિવા દાયક નાખુશ થાય અથવા બન્ને નાખુશ થાય તેમજ પોતાના ધર્મની પણુ હલકાઈ દેખાય. ૪ નોંધ:-મારામાં રખે ભાગ પડાવશે ! તેવું માની ભિખારીનું હૃદય ભાય અથવા આપનારની લાગણી દુભાય અને ભિખારીની આવી હરિફાઈ થઇ જતાં પેાતાની કદર પણ ભિખારી જેવી થવાથી જૈનશાસનના સચમી. ધર્મની મહત્તા ઘટે. [૧૩] પણ ગૃહપતિ તે આવેલા બીજા ભિક્ષુકને ભાજન આપે કિવા ના પાડે અને તેથી જ્યારે તે ભિક્ષુક પાછા કરે ત્યારબાદજ સચમી ભેજન કે પાણીને માટે ત્યાં ગમન કરે. [૧૪+૧૫] (નીલાત્પલ) લીલું કમળ, (પદ્મ) લાલ કમળ, ચંદ્રવિકાસી શ્વેત કમળ અચવા માલતી મેગરાનું કે તેવું ખીજાં કોઈ પણ ફૂલ ચૂંટીને કોઈ બાઈ ભિક્ષા આપે તેા તે ભેાજન અને પાન સયમીને અકલ્પ્ય (અગ્રાહ્ય) છે. માટે આપનાર એનને કહે કે એ આહાર પાણી હવે મતે ગ્રાહ્ય (કમ્પ્ય) નથી. [૧૬+૧૭] લીલું કમળ, લાલ કમળ, ચંદ્રવિકાસી વેત કમળ અથવા મેગરાનું કે તેવું બીજું કોઇ પણ ફૂલ કચરીતે, છેદીને કોઇ બાઇ ભિક્ષા વ્હારાવે તે તે ભેાજન અને પાન સયમીને ગ્રાહ્ય નથી. માટે ભિક્ષા આપનાર એનને ભિક્ષુ કહે કે મેન ! તે અન્નપાન મારા માટે ફેલ્પ્ય નથી. [૧૮+૧૯] કમળનેા કંદ, ખાખરાનેા કંદ, કમળની નાળ (સાંઠા), લીલા મળની નાળ, કમળના તંતુ, સરસવની ડાંડલી, શેરડીન ફટકા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy