SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પડે જીનિકા કરવું અને ઉપયાગપૂર્વક ખેલવું. તેમ કરવાથી પાપકમ બંધાય નહિ. ૩૭ નોંધઃ-ઉપયાગ એજ ધર્મ છે. તેથી ઉપયુક્ત એટલે કે જાગૃત સાધક ઇરાદાપૂર્વક પાપકમ કરતા નથી. અને ખેસતાં, ઉઠતાં, ચાલતાં, ખાતાં, પીતાં તેવી ક્રિયામાં જે કંઇ પાપકમ સહજ ભાવે થઈ જાય તેનું તપશ્ચર્યા અને પશ્ચાત્તાપ દ્વારા શીઘ્ર નિવારણ કરી નાખે છે. [૯] જે સર્વ પ્રાણીઓને પેાતાના આત્મા સમાન જાણનાર તથા પ્રાણી માત્ર પર સમષ્ટિથી જોનાર અને પાપના આસ્રવેા ( પાપનાં આગમને) તે રોકનાર હોય છે. તેવા દમિતેન્દ્રિય સયમીને પાપકર્મને બંધ થતા નથી. નોંધઃ-સમભાવ, આત્મભાવ, પાપત્યાગ તથા ઈંદ્રિયદમન આ ચારે વસ્તુ પાપકર્મીની રાત્રક છે. તેથી નવાં પાપેાનું આવવું થતું નથી અને પૂર્વીકૃત પાપા ક્રમશ: નષ્ટ થતાં નચ છે. [૧૦] પ્રથમ જ્ઞાન ( સમજણુ-સારાસારને વિવેક) અને પછી જ યાનું સ્થાન છે. આ પ્રમાણે જ્ઞાનપૂર્વક ધ્યા પાળવાથી સાધુ સર્વથા સયમી રહી શકે છે તેવું જાણીને-સંયમી પુરુષ વર્તે છે કારણ કે અજ્ઞાની જન પેાતાને માટે શું કલ્યાણકારી છે . કે શું પાપકારી છે તેને જાણી શકતા નથો. નોંધઃ-ઉપરની બધી ગાથાઓમાં કેવળ પ્રાણીદયાનું વિધાન આપ્યું છે. તેથી રખે કાઈ દાના શુષ્ક અથ કરે! તે માટે અહીં પ્રથમ જ્ઞાન એટલે વિવેકને સ્થાન આપ્યું છે. જો અહિંસામાં વિવેક ન હોય તા ઉપરથી દેખાતી અહિંસા પણ હિંસા રૂપે પરિણમે છે. માટે દરેક ક્રિયામાં વિવેકનું સ્થાન પહેલું રાખ્યું છે. હવે ઉત્ક્રાન્તિને ક્રમ બતાવે છે— [૧૧] ધર્મનું યથા શ્રવણુ કરીને જ્ઞાની સાધક કલ્યાણકારી શું છે ? તેમજ પાપકારી શું છે? તે બન્નેને જાણી શકે છે અને તે પૈકી જે હિતાવહ છે તેને જ તે આચરે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy