SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ દશવૈકાલિક સૂત્ર આ બધું સ્નેહ ભર્યા હદ અને ઉછરંગે સહન કરી ઉત્સાહ પૂર્વક આગળ વધ્યે જાય તે સદગુણેને સંગ્રહ સાચવી શકે છે, પચાવી શકે છે અને તેનું સર્વે ચૂસી શકે છે. - આવા સદાચારી સાધુને ક્યાં કયાં અને કેવી રીતે જાગૃત રહેવાનું હોય છે તે માનસિક, કાયિક અને વાચિક એમ સંયમના ત્રણે અંગેની ભિન્નભિન્ન દષ્ટિબિંદુઓથી આપેલી સળગ વિચારણું જમાં અધ્યયનમાં આપેલી છે કે જે સાધકના જીવન માટે અમૃતસમાન પ્રાણ પૂરે છે. ગુરુદેવ બોલ્યા – [૧] સદાચારના ભંડારરૂપ સાધુતાને પામીને ભિક્ષુઓએ શું કરવું જોઈએ તે હું આપને ક્રમપૂર્વક કહીશ. હે ભિક્ષુઓ! તમે મને સાંભળે. [૨] પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, લીલું ઘાસ, વનસ્પતિ, વૃક્ષો અને બીજ તથા જે હાલતાં ચાલતાં પ્રાણુઓ છે તે બધા જીવો છે એમ મહર્ષિ (સર્વજ્ઞ પ્રભુ)એ કહ્યું છે. નેધ-આ વિશ્વમાં ઘણાં તો એવા સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે કે ને આંખથી દેખાતાં નથી છતાં વૃદ્ધિ, હાનિ, લાગણું ઇત્યાદિ પરથી જાણી શકાય છે કે એ છો છે. હમણાં વૈજ્ઞાનિક શોધથી વનસ્પતિમાં પણ મોટા પ્રાણીઓ જેવી જ સુખ, દુઃખ, વિરહ, શેક, પ્રેમ ઈત્યાદિની લાગણીઓ છે તેવું સિદ્ધ થયું છે. સૌ જીવો પછી તે નાના હે કે મેટા, જીવવા ઇછે? છે, સૌને સુખ પ્રિય છે. માટે સુખના ઇછુકે તેનું રક્ષણ કરી તેને સુખ પહોચે તેમ સાવધાનીથી રહેવું અને વર્તવું જોઈએ. [3] તે છ પ્રત્યે હમેશાં અહિંસક વૃત્તિથી રહેવું જોઈએ. જે મન, - વાણી અને કાયા (કર્મ)થી અહિંસક રહે છે તે સાધક તે પ્રમાણે કરવાથી આદર્શ સંયમી બને છે. નોંધ-જેમ ઉપયોગિતાઓ (જરૂરિયાતો) ઘટે તેમ હિંસા ઘટે અને જેમ જેમ હિંસા ઘટે તેમ તેમ અનુકંપા જાગૃત થાય. આથી સાચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy